Site icon Revoi.in

નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે

Social Share

નવી દિલ્હીઃ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (CNS) એડમિરલ દિનેશ કે ત્રિપાઠી 21થી 24 ઓક્ટોબર દરમિયાન UAEની મુલાકાતે છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની અનુરૂપ, બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવાનો છે. ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય દરિયાઈ સંબંધોને મજબૂત કરવા અને બંને નૌકાદળ વચ્ચે સહકારના નવા માર્ગો શોધવાનો છે.

સીએનએસ UAE નેવલ ફોર્સના કમાન્ડર રિયર એડમિરલ પાયલટ સઈદ બિન હમદાન અલ નાહયાન અને UAEના અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરશે. તેઓ UAEની નેશનલ ડિફેન્સ કોલેજની પણ મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ વિદ્યાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરશે. મુલાકાત દરમિયાન, CNS ભારત-UAE દ્વિપક્ષીય નૌકા કવાયતની ત્રીજી આવૃત્તિના પણ સાક્ષી બનશે.

ભારતીય નૌકાદળ અને સંયુક્ત આરબ અમીરાત નૌસેના વચ્ચેના સહકારી જોડાણોમાં પોર્ટ કોલ્સ પર વાતચીત, દ્વિપક્ષીય નૌકા કવાયત અને પારસ્પરિક મુલાકાતો, નેવી-ટુ-નેવી સ્ટાફ વાટાઘાટો, તેમજ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિ (JDCC) દ્વારા ઓપરેશનલ ક્રિયાપ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે.