1. Home
  2. ગુજરાતી
  3. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, CM યોગીએ શોક વ્યક્ત કર્યો
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

0
Social Share

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક દરમિયાન 121 વૈદિક બ્રાહ્મણોનું નેતૃત્વ કરનાર મુખ્ય પૂજારી કાશીના પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું શનિવારે સવારે વારાણસીમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ લગભગ 86 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. આચાર્યના નિધનના સમાચાર મળતાં જ કાશીના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતની ગણતરી કાશીના વરિષ્ઠ વિદ્વાનોમાં થાય છે. આચાર્યના નેતૃત્વમાં કાશીના 121 બ્રાહ્મણોએ અયોધ્યામાં શ્રી રામલલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. લક્ષ્મીકાંત દીક્ષિત મૂળ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના છે. પરંતુ તેમનો પરિવાર ઘણી પેઢીઓથી કાશીમાં રહે છે. પંડિત લક્ષ્મીકાંત સંગવેદ મહાવિદ્યાલયના વરિષ્ઠ આચાર્ય હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ ટ્વિટર પર લખ્યું કે, “કાશીના મહાન વિદ્વાન અને શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી વેદમૂર્તિ, આચાર્ય શ્રી લક્ષ્મીકાંત દીક્ષિત નું નિધન એ આધ્યાત્મિકતા અને સાહિત્યની દુનિયાને ન પુરી શકાય તેવી ખોટ છે. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ માટે તેમની સેવા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. ભગવાન શ્રી રામ દિવંગત સંતને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના શિષ્યો અને અનુયાયીઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code