Site icon Revoi.in

કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ EVM મામલે બોલતા પહેલા રાજીનામું આપવું જોઈએઃ CM સરમા

Social Share

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે શીક છે કે, હિંદુઓમાં ભાગલા પાડીને રાજ્ય ચલાવી શકાય નહીં. તેમણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ટીકા કરવા માટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસના તમામ મુખ્યમંત્રીઓને ઈવીએમ વિરુદ્ધ કોઈપણ નિવેદન આપતા પહેલા રાજીનામું આપવા જણાવ્યું હતું.

સરમાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા મતે તમામ રાજ્યોની ચૂંટણીઓ અલગ-અલગ હોય છે. તમામ રાજ્યોમાં ચૂંટણી જે તે રાજ્યને લગતા મુદ્દાઓ પર લડવામાં આવે છે. જો કે હરિયાણાના લોકોએ કોંગ્રેસ પાર્ટીને પાઠ ભણાવ્યો છે કે તમે હિંદુ સમાજમાં ભાગલા પાડીને રાજ્ય નહીં ચલાવી શકો. તેમણે કહ્યું કે હિંદુઓ પણ ષડયંત્ર વિશે જાણે છે, હિંદુઓ પણ જાણે છે કે કેવી રીતે રાહુલ ગાંધી હિંદુ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હરિયાણાની ચૂંટણીએ બતાવ્યું છે કે હિન્દુઓ એક થઈ શકે છે અને હિન્દુઓ કોંગ્રેસ પાર્ટીના કુખ્યાત ‘ગેમ પ્લાન’ દ્વારા જોઈ શકે છે.

ચૂંટણી પરિણામો માટે કોંગ્રેસ દ્વારા ઈવીએમની ટીકા અંગે પૂછવામાં આવતાં, આસામના સીએમએ કહ્યું કે જ્યારે પાર્ટી જીતે છે ત્યારે તે ઈવીએમ પર સવાલ ઉઠાવતી નથી, પરંતુ જ્યારે તેઓ હારે છે ત્યારે તેઓ ઈવીએમ પર સવાલ ઉઠાવે છે, આ તેમની જૂની પરંપરા છે. તેમણે કહ્યું કે, આસામ કોંગ્રેસને વિશ્વાસ હતો કે તેઓ હરિયાણામાં જીતશે, તેથી તેઓએ બેન્ડના સભ્યોને બોલાવ્યા. પરંતુ, પરિણામ આવતાં જ તેઓએ બેન્ડના સભ્યોને પાછા જવાનું કહ્યું અને તેમને પૈસા પણ ચૂકવ્યા નહીં. ઈવીએમ ઉપર સવાલ ઉઠાવતા પહેલા કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓએ પહેલા રાજીનામા આપવા જોઈએ.