1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રાનો કાલથી પ્રારંભ
કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રાનો કાલથી પ્રારંભ

કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રાનો કાલથી પ્રારંભ

0
Social Share

અમદાવાદઃ હરણી બોટકાંડ, મોરબી ઝુલતા પુલકાંડ, સુરત તક્ષશિલાકાંડ, અને રાજકોટના અગ્નિકાંડ, લઠ્ઠાકાંડ, પેપરકાંડ, અંધાપાકાંડ જેવી ઘટનાઓમાં ભોગ બનેલા પિડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા આવતી કાલ તા. 9મી ઓગસ્ટને શુક્રવારથી મોરબીથી ન્યાય પદયાત્રા આરંભ થશે. મોરબીમાં લોકોને મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી તા. 23ના રોજ આ ગુજરાત ન્યાય યાત્રા ગાંધીનગર ખાતે પહોચશે. ગુજરાત ન્યાય યાત્રા”માં કોંગ્રેસ પક્ષના હોદેદારો, આગેવાનો, પદાધિકારીઓ  ચૂંટાયેલા પ્રતિનિધિઓ યાત્રામાં જોડાશે.

સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ ‘ગુજરાત ન્યાય યાત્રા’ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં મોરબીથી તારીખ 9મી ઓગસ્ટ થી શરૂ થતી ગુજરાત ન્યાય યાત્રામાં ત્રણ પ્રકારના યાત્રિકો હશે. એક ન્યાય યાત્રીઓ કે જેઓ ન્યાયયાત્રાના આરંભથી સમાપન સુધી સાથે જોડાયેલા રહેશે જે સતત 15 દિવસ સુધી પદયાત્રામાં રહેશે. પદયાત્રામાં 100 પદયાત્રીઓ કાયમી સાથે રહેશે. બીજા પદયાત્રી જેઓ જિલ્લાના ન્યાયાત્રીઓ જે પાંચથી સાત કલાક પૂરતા અને જે તે જિલ્લામાં પદયાત્રીઓ આવશે. ત્રીજા પ્રકારના સહયાત્રીઓ એ સહકાર યાત્રીઓ જ્યારે જોડાવું હોય ત્યારે જોડાઈ શકે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે એ પ્રકારના પદયાત્રિકો રહેશે. 9મી ઓગસ્ટે ન્યાય યાત્રા મોરબીના ઝુલતા પુલે શરુ કરવામાં આવશે તે ક્રાંતિ દિન તરીકે ઓળખાશે. 15મી ઓગસ્ટે મહાધ્વજવંદન સુરેનદ્રનગર ખાતે કરવામાં આવશે ત્યારબાદ યાત્રા વિરમગામ સાણંદથી અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમએ અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીથી સવારે 9.:૦૦ વાગે શરૂ કરવામાં આવશે. તારીખ 11 ઓગસ્ટે ટંકારા થઇ રાજકોટ ખાતે સાંજે પહોંચશે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા થશે. તારીખ 12 ઓગસ્ટે સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારમાં ન્યાય યાત્રા ફરશે. તારીખે 13 ઓગસ્ટે સુરેન્દ્રનગર જીલ્લાથી ન્યાયયાત્રા પ્રયાણ કરશે. સમગ્ર યાત્રામાં ‘ભાજપના પાપનો ઘડો’ રાખવામાં આવશે તેમાં પ્રજાને થયેલા અન્યાયના અત્યાચારની ફરિયાદો પ્રજા આ ઘડામાં નાખશે. ભાજપના પાપનો થડો હવે ભરાઈ ગયો છે. ગુજરાતમાં આ પ્રકારની સાત પદયાત્રાઓ કાઢવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ન્યાય યાત્રાનું ક્યાય પણ ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવશે નહીં. ફકત સૂતરની આટીથી જ સ્વાગત કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code