Site icon Revoi.in

દ્વારકાધિશના મંદિરમાં દિવાળીના તહેવારો માટે દર્શનનો સમય જાહેર કરાયો

Social Share

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના દર્શન માટે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે દીપાવલી ઉત્સવ અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં 2 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.  તા. 4-11-2021 ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે તેમજ બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ થશે તથા સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે 8 કલાકે હાટડી દર્શન ત્યારબાદ રાત્રે 9-45 કલાકે અનોસ૨ મંદિર બંધ થશે.

દ્વારકાધિશ મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં 2 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.  તા. 4-11-2021 ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે તેમજ બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ થશે તથા સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે 8 કલાકે હાટડી દર્શન ત્યારબાદ રાત્રે 9-45 કલાકે અનોસ૨ મંદિર બંધ થશે. તા.5-11-2021 ને શુક્રવારે નૂતન વર્ષના દિને સવારે 6 કલાકે મંગલા આરતી થશે. ત્યાર પછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ થશે. સાંજે 5 થી દરમ્યાન અન્નકૂટ ઉત્સવનાં દર્શન થશે. રાત્રે 9.45 કલાકે મંદિર બંધ થશે.
તા. 6-11-2021 ને શનિવારે સવારે 7 કલાકે મંગળા આરતી થશે. ત્યાર પછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે 1 દર્શન કલાકે મંદિર બંધ થશે. તથા સાંજે દર્શન નિત્યક્રમ મુજબ જ થશે. જ્યારે ભગવાન દ્વારકાધીશના દર્શનની વિગતો મુજબ વાઘબારસ, ધનતેરસ, રૂપ ચૌદશ ક્ષય, દીપાવલી, નૂતન વર્ષ, અન્નકૂટ ઉત્સવ, ભાઈબીજ તહેવારો નિમિત્તે અલગ અલગ સમયે અલગ અલગ ઉત્સવ
તેમજ દર્શન થશે.