Site icon Revoi.in

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન

Social Share

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે.

હર્ષ સંઘવીના પિતાની છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હૉસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના કાલ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. રમેશ સંઘવી સુરતમાં ગિરનાર કોર્પોરેશન નામની ડાયમંડ કંપની ચલાવતા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિઘન થતા રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. ગુજરાતના જાણીતા ન્યૂઝ પોટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ રાજ્યના મંત્રી હર્ષ સંઘવીના પિતા શ્રી રમેશચંદ્ર સંઘવીના નિઘન અંગે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.

 

#RIP, #HarshSanghvi, #GujaratMinister, #Condolences, #MinistersFatherPassesAway, #GujaratNews,- #PoliticalNews, #LeadershipLoss, #RespectAndCondolences, #GoneTooSoon, #RestInPeace, #CondolenceMessages, #RespectAndLove, #InMemoriam, #GoneButNotForgotten, #LeadershipMatters, #GujaratLeaders, #PoliticalLeadership, #CondolencesToTheFamily