1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીઃ ભારત અને જાપાન વચ્ચે ત્રીજી બેઠક 20 ઓગસ્ટે યોજાશે
દિલ્હીઃ ભારત અને જાપાન વચ્ચે ત્રીજી બેઠક 20 ઓગસ્ટે યોજાશે

દિલ્હીઃ ભારત અને જાપાન વચ્ચે ત્રીજી બેઠક 20 ઓગસ્ટે યોજાશે

0
Social Share

નવી દિલ્હીઃ ભારત અને જાપાનના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓની ત્રીજી બેઠક મંગળવારે નવી દિલ્હીમાં યોજાશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર આ બેઠકમાં ભાગ લેશે.

જાપાન તરફથી સંરક્ષણ પ્રધાન મિનોરુ કિહારા અને વિદેશ મંત્રી યોકો કામિકાવા બેઠકમાં ભાગ લેશે. બંને દેશોના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓની છેલ્લી બે બેઠક 2019માં નવી દિલ્હીમાં અને 2022માં ટોક્યોમાં થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે જાપાન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે.

બંને દેશો વચ્ચે સંરક્ષણ અને વિદેશ મંત્રીઓની બેઠક પરસ્પર સુરક્ષા અને સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. ભારત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયાના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓ સાથે પણ એક સાથે બેઠકો કરી રહ્યું છે.

#IndiaJapanMeet, #DelhiMeet, #August20Meet, #IndiaJapanRelations, #BilateralTalks, #DiplomaticMeet, #IndiaJapanCooperation, #DelhiDiplomacy, #InternationalRelations, #IndiaJapanTies, #Geopolitics, #ForeignAffairs, #InternationalCooperation, #GlobalDiplomacy, #AsianDiplomacy, #IndiaForeignPolicy, #JapanForeignPolicy, #DiplomaticRelations, #GlobalAffairs

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code