Site icon Revoi.in

ડેન્ગ્યુનો મચ્છર કરડે તો શું દરેક વ્યક્તિ બીમાર પડે છે? જાણો આમાં ઈમ્યૂનિટીનો શું રોલ છે

Social Share

વરસાદની ઋતુમાં ડેન્ગ્યુનો ખતરો ઝડપથી વધી રહ્યોં છે, આવામાં ઈમ્યુનિટી મજબૂત કરવી કેમ જરૂરી છે અને જણાવીએ કે ડેન્ગ્યુની અસરોથી કેવી રીતે ઈમ્યુનિટીને બચાવી શકાય છે.

ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છર કરડવાથી વ્યક્તિ બીમાર પડે કે કેમ તે તેની ઈમ્યુનિટી પર આધાર રાખે છે. ડેન્ગ્યુ માનવ શરીર પર અસર કરે છે તેમાં ઈમ્યુનિટી મહત્વનો ભાગ ભજવે છે. કેટલાક લોકોમાં ડેન્ગ્યુના લક્ષણો ઓછા જોવા મળે છે કારણ કે તેમની ઈમ્યુનિટી મજબૂત હોય છે. તે જ સમયે, કેટલાક લોકોમાં ડેન્ગ્યુના લક્ષણો વધુ જોવા મળે છે કારણ કે તે ઈમ્યુનિટી નબળી છે.

ડેન્ગ્યુથી સંક્રમિત દરેક વ્યક્તિ બીમાર લાગે તે શક્ય નથી. રિપોર્ટ અનુસાર, સંક્રમિત ચારમાંથી માત્ર એક જ બીમાર પડે છે. જો તમને પહેલા પણ તેનો ચેપ લાગ્યો હોય, તો તમને ગંભીર ડેન્ગ્યુ થવાની સંભાવના છે.

નવજાત બાળકો અને સગર્ભા સ્ત્રીઓમાં ગંભીર ડેન્ગ્યુ થવાની સંભાવના છે, કારણ કે આ સમયે તેમની ઈમ્યુનિટી ઓછી હોય છે. આવામાં ડેન્ગ્યુથી બચવા માટે આપણી ઈમ્યુનિટી મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ડેન્ગ્યુની અસર આનાથી ઘટાડી શકાય છે.

આપણે ડેન્ગ્યુથી પોતાને બચાવવા માંગતા હોય તો ઈમ્યુનિટી કેવી રીતે મજબૂત કરવી? આ માટે, તમારે તમારા ખોરાકની સાથે, તમારે શારીરિક અને માનસિક સ્ટ્રેસને પણ કંટ્રોલ કરવો જોઈએ. સ્ટ્રેસ ઓછો કરવો જોઈએ અને શારીરિક પ્રવૃત્તિઓ જેવી કે દોડવું, જોગિંગ, સ્વિમિંગ, સાયકલ ચલાવવી જોઈએ.

આ સિવાય કેળા, શક્કરિયા, ચણા, લીંબુ, બદામ, અખરોટ, દહીં, રાજમા, ગોળ જેવી વસ્તુઓનું આહારમાં સેવન કરવું જોઈએ, જે ઈમ્યુનિટી વધારે છે અને સંક્રમણથી બચવામાં મદદ કરે છે.