Site icon Revoi.in

શું ટાઈપ સી ચાર્જરને કારણે સ્માર્ટફોન ઝડપથી બગડે છે? અજાણતા પણ આ ભૂલ ના કરો

Social Share

ટેક માર્કેટમાં નવી એડવાન્સ તકનીકો પર સતત કામ કરવામાં આવે છે. આજકાલ આવનારા સ્માર્ટફોનમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. જોકે, ફોન કંપનીઓનું મુખ્ય ફોકસ કેમેરા પર જ રહે છે. પણ છેલ્લા કેટલાક સમયથી ફોન સાથે ચાર્જર રાખવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. તેની પાછળનું કારણ એ છે કે હવે મોબાઈલ ફોન સાથે વધુ વોલ્ટના ચાર્જર આવી રહ્યા છે.

• ટાઈપ સી ચાર્જરના લીધે ખરાબ થઈ રહ્યા છે ફોન
ફઓન કંપનીઓ સ્માર્ટ ફોનમાં ટાઈપ સી ચાર્જર સાથે વધારે વોલ્ટનું ચાર્જર આપે છે. પણ એક ભૂલના કારણે ફોનની ક્ષમતા ઘટી રહી છે. ખરેખર, ઘણા લોકો ટાઈપ સી ચાર્જરને સાફ કરતા નથી. આવી સ્થિતિમાં ચાર્જરમાંથી ગંદકી ટાઈપ સી પોર્ટમાં જાય છે અને પરિણામે ફોનની લાઈફ ઘટી જાય છે.

• આ ભૂલો કરવાથી બચો
ઘણા લોકોને ખબર નથી હોતી કે ચાર્જર કેટલા વોટનું છે. આવામાં સાચી માહિતીના અભાવે, મોટાભાગના લોકો કોઈપણ ચાર્જરથી ફોન ચાર્જ કરે છે. આ સિવાય ઘણી વખત લોકો સાર્વજનિક સ્થળોએ પણ પોતાનો ફોન ચાર્જ કરે છે, જેના કારણે ફોનની કાર્યક્ષમતા પર ખરાબ અસર પડે છે.

• આ વાતનું ખાસ ધ્યાન રાખો
ફોન કંપનીઓ ઝડપી ટેક્નોલોજી સાથે મોબાઇલ ચાર્જર તૈયાર કરી રહી છે અને તેને બજારમાં ઉતારી રહી છે. આવી સ્થિતિમાં, ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા છે, તો ઓરિજિનલ ચાર્જર જેટલી જ ક્ષમતાના ચાર્જરથી ફોન ચાર્જ કરો. ઉદાહરણ તરીકે, જો ફોન 44 વોટ, 65 વોટ અને 120 વોટની ક્ષમતા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હોય, તો તે જ ક્ષમતાના ચાર્જરથી ઉપકરણને ચાર્જ કરો.