1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. યોગ્ય સમયે ભોજનથી બ્લડસુગર કન્ટ્રોલમાં રહેશે, ડાયબિટીસના દર્દીઓને થાય છે ફાયદો
યોગ્ય સમયે ભોજનથી બ્લડસુગર કન્ટ્રોલમાં રહેશે, ડાયબિટીસના દર્દીઓને થાય છે ફાયદો

યોગ્ય સમયે ભોજનથી બ્લડસુગર કન્ટ્રોલમાં રહેશે, ડાયબિટીસના દર્દીઓને થાય છે ફાયદો

0
Social Share

ડાયાબિટીસ એ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી એવી બીમારી છે જેમાં વ્યક્તિએ ખાવા-પીવાની આદતોનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. ડબ્લ્યુએચઓના આંકડા અનુસાર, વિશ્વભરમાં 422 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિય છે. એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જો ભોજનના સમયને લઈને સાવધાની રાખવામાં આવે તો ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે અને મેટાબોલિક હેલ્થને મજબૂત બનાવી શકાય છે.

• યોગ્ય સમયે ખોરાક ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થશે
‘એનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિન’માં પ્રકાશિત આ સંશોધનમાં જણાવ્યું છે કે, યોગ્ય સમયે ખોરાક ખાવાથી ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. સંશોધન કહે છે કે, યોગ્ય સમયે ખોરાક ખાવાથી માત્ર બ્લડ શુગરને વધતી જતી નથી પરંતુ ડાયાબિટીસ ટાઈપ 2નું જોખમ પણ ઘટાડી શકાય છે.

• યોગ્ય સમયે ખોરાક ખાવાથી ચયાપચયને વેગ મળશે
સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો દિવસના આઠથી દસ કલાકની અંદર પોતાનું બધુ જ ભોજન અને પીણું ખાઈ લે છે અને બાકીનો સમય ઉપવાસ કરે છે, તેમનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. આવા લોકોનું બ્લડ શુગર હંમેશા ખતરાના નિશાનથી નીચે રહે છે. શરીર 24 કલાકની સર્કેડિયન રિધમ પર જૈવિક ઘડિયાળ અનુસાર કામ કરે છે, જો તે મુજબ ખોરાક લેવામાં આવે તો હોર્મોનનું સ્તર, પાચન અને શક્તિ આપમેળે નિયંત્રણમાં રહે છે.

સવારે શરીર યોગ્ય રીતે ખોરાકનું પાચન થાય છે અને તેના કારણે ચયાપચય પર ઓછું દબાણ પડે છે. તેનાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ મોડું ખાય છે, તો તેના ચયાપચય પર પ્રતિકૂળ અસર પડે છે અને બ્લડ સુગર નિયંત્રણ બહાર જાય છે. રાત્રે યોગ્ય સમયે ખાવાથી મેટાબોલિઝમ વધે છે અને બ્લડ સુગર વધવાનું જોખમ ઓછું થાય છે. એટલું જ નહીં, યોગ્ય સમયે ખોરાક ખાવાથી ચરબી ઓછી થાય છે અને ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code