Site icon Revoi.in

SCO સમિટમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે પાકિસ્તાન જશે

Social Share

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે આજે ઈસ્લામાબાદની બે દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રીએ અગાઉ ટિપ્પણી કરી હતી કે તેમની પાકિસ્તાનની મુલાકાત બહુપક્ષીય કાર્યક્રમ માટે હતી અને તેમણે દ્વિપક્ષીય વાટાઘાટોને નકારી કાઢી હતી. છેલ્લા 9 વર્ષમાં કોઈ ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાનની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત હશે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એ કાયમી આંતર-સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેમાં 9 સભ્ય દેશો ભારત, ઈરાન, કઝાકિસ્તાન, ચીન, કિર્ગીઝ રિપબ્લિક, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. SCO સભ્ય રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસને મજબૂત કરવા, રાજકારણ, વેપાર, અર્થતંત્ર, સંશોધન, ટેક્નોલોજી અને સંસ્કૃતિમાં તેમના અસરકારક સહકારને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી હુમલાની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન એસસીઓની બેઠકને લઈને પાકિસ્તાન સરકાર દ્વારા અગમચેતીના પગલા લેવામાં આવ્યાં છે. એટલું જ નહીં ઈસ્લામાબાદ સહિતના શહેરો આર્મીના હવાલે કરી દેવામાં આવ્યાં છે. એસસીઓ મીટીંગને પગલે સુરક્ષાના કારણોસર ઈસ્લામાબાદ સહિતના શહેરોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.