ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરી લાભ પાંચથી તેની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેની સામે ખેડતો દ્વારા દિવાળી પહેલાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરવામાં આવી છે.
ખેડૂતોના કહેવા પ્રમાણે તેમણે જુના બીલ સરભર કરવાના હોય ઉપરાંત નવી વાવણી માટે બીયારણ અને ખાતરની ખરીદી કરવાની હોય છે, ઉપરાંત જો દિવાળી પહેલાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેતો ખેડૂતો દિવાળીનું પર્વ ઉત્સાહ પુર્વક મનાવી શકે. જો કે માર્કેટ યાર્ડના ચેરમેનના કહેવા પ્રમાણે સરકાર સમગ્ર રાજ્યના વાતાવરણ ધ્યાનમાં લઇ અને ખરીદી શરૂ કરતી હોય છે.