1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને, ગ્રીન કવર વધારીને ગ્લોબલ વૉર્મિંગ સામે લડવું પડશે: ભૂપેન્દ્ર પટેલ
શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને, ગ્રીન કવર વધારીને ગ્લોબલ વૉર્મિંગ સામે લડવું પડશે: ભૂપેન્દ્ર પટેલ

શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને, ગ્રીન કવર વધારીને ગ્લોબલ વૉર્મિંગ સામે લડવું પડશે: ભૂપેન્દ્ર પટેલ

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા – ગુજરાત ચેપ્ટરની કૉન્ફરન્સનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતાં આગામી પાંચ વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનીશું. અને આત્મનિર્ભરતા માટે સસ્ટેનેબિલિટી પાયાની શરત છે. વિકાસ તમામ કાર્યોના પાયામાં સસ્ટેનેબિલિટી જરૂરી છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. આપણા શહેરી આયોજનમાં પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય રાખી પર્યાવરણ જાળવણી સાથેના સંતુલિત વિકાસથી શહેરોને લવેબલ-લિવેબલ અને સસ્ટેનેબલ બનાવવાની તેમણે હિમાયત કરી હતી. 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણની સાથે ચાલવું એ અગત્યનું બની ગયું છે. શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને, ગ્રીન કવર વધારીને ગ્લોબલ વૉર્મિંગ સામે લડવું પડશે. આ ઉપરાંત રિડ્યુસ, રિયુઝ અને રિસાયક્લીંગ થકી સર્ક્યુલર ઇકોનોમીનું નિર્માણ કરીને ઉત્તસ સુવિધાઓ પૂરી પાડીને શહેરોને હજુ વધુ લિવેબલ અને લવેબલ બનાવવા અંગેના આયોજન અને પરિસ્થિતિ નિર્માણ પણ સાથે મળીને કરવા આવશ્યક છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન લાઇફ વિશે વાત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મિશન લાઇફ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન આપણને આવનારા પડકારોને પહોંચી વળવા પર્યાવરણની સુરક્ષા માટે પ્રેરણા આપે છે, આપણી જીવનશૈલી પર્યાવરણને સાથે લઈને ચાલે છે. મુખ્યમંત્રીએ શહેરી વિકાસને વેગ આપવા માટે આવી કૉન્ફરન્સ જેવાં આયોજન દ્વારા નક્કી કરાયેલ નિર્ણયને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ સૌને જવાબદાર નાગરિક બની પર્યાવરણની જાળવણી માટે અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. 

આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યના અનેક નગરોમાં વર્ષો જૂની સંસ્કૃતિ, સભ્યતા અને પૌરાણિક તત્ત્વો હાલ પણ જોવા મળે છે. વડનગર વિશે વાત કરતા તેમણે કહ્યું કે, વડનગરની સંસ્કૃતિ અને વિરાસત ખૂબ જ પ્રાચીન અને અદભુત છે અને ત્યાં તમામ ધર્મની પૌરાણિક વસ્તુઓ હાલ પણ જોવા મળે છે. વધુમાં તેમણે કહ્યું કે, અમદાવાદને ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો જે આપણા માટે ગર્વની વાત છે. 

તેમણે વધુ જણાવ્યું હતું કે, રાજ્યના અનેક શહેરો પોતાના પ્રાચીન પરંપરાને કારણે ઓળખાય છે. પર્યાવરણ જાળવણીની વાત કરતા તેમણે કહ્યું કે, પર્યાવરણને સંતુલિત રાખી વિકાસના કાર્યો કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે. અશ્વિનીકુમારે ઉમેર્યું હતું કે, ગુજરાતને એક સમર્થ અને પ્રબળ નેતૃત્વ મળ્યું છે જેના કારણે શહેરી વિકાસને વેગ મળ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એમને સતત પ્રોત્સાહન અને સકારાત્મક સહયોગ મળ્યો છે, તેવું તેમણે ઉમેર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code