UNSC હેડક્વાર્ટર ખાતે મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે,એસ. જયશંકર કરશે અનાવરણ
દિલ્હી:સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની ભારતની અધ્યક્ષતામાં બે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવા માટે, વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે એટલે કે આજે ન્યુયોર્કની તેમની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરશે.રિફોર્મ્ડ બહુપક્ષીયવાદ માટે ન્યુ ઓરિએન્ટેશન થીમ પર ઉચ્ચ-સ્તરીય મંત્રી સ્તરની ખુલ્લી ચર્ચા 14 ડિસેમ્બરે યોજાશે, જ્યારે 15 ડિસેમ્બરે ગ્લોબલ એપ્રોચ ટુ કાઉન્ટર ટેરરિઝમ – પડકારો અને આગળનો માર્ગ વિષય પર ચર્ચા યોજાશે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન આ બંને વિષયો ભારત માટે પ્રાથમિકતા છે.ભારત ડિસેમ્બર મહિના માટે UNSCની અધ્યક્ષતા કરી રહ્યું છે.મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે,આ બેઠકને યુએન સેક્રેટરી જનરલ અને 77મી યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ પણ સંબોધિત કરશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,જયશંકર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.સંયુક્ત રાષ્ટ્રને ભારત તરફથી ભેટ, ગાંધીજીની પ્રતિમા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પ્રથમ સ્થાપિત થશે.
નોંધપાત્ર વાત છે કે, ઓગસ્ટ 2021 માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ભારતની અધ્યક્ષતા દરમિયાન, યુએન શાંતિ રક્ષકો સામેના ગુનાઓ માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર સર્વસંમતિથી એક ઠરાવ અપનાવવામાં આવ્યો હતો.ભારતની સાથે, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ફ્રાન્સ, મોરોક્કો અને નેપાળ જેવા સૈન્યનું યોગદાન આપનારા દેશો પીસકીપર્સ સામેના ગુનાઓ માટે એકાઉન્ટેબિલિટી માટેના જૂથના સહ-અધ્યક્ષ રહેશે.