Site icon Revoi.in

દિવાળીને ધ્યાનમાં રાખી સરકારી કર્મચારીઓના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી કરાશે

Social Share

અમદાવાદઃ દીવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23 થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

સમય મર્યાદા બાદ રજુ કરવામાં આવેલ પગાર પત્રકોનું ચુકવણું દિવાળી પહેલાં થઇ શકશે નહિં અને જે કોઇ પરિસ્થિતિ ઉપસ્થિત થશે તેની જવાબદારી જે તે ખાતાની રહેશે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળોની રજૂઆતો સાંભળી હતી. 60,254 કર્મચારીને સીધો ફાયદો થાય તે માટે નિર્ણય લેવાયો છે. તારીખ 01-04-2005થી જેઓ નોકરી લાગ્યા હતા એમને પાંચ વર્ષનો લાભ ના મળતો હોવાનું લખ્યાં છતાં પણ આવા કર્મચારીઓની નિમણૂક થઈ હતી અને પાછળથી કાયમી થયા હતા તેમને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.