1. Home
  2. ગુજરાતી
  3. હિઝબુલ્લાહ ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો, ઇઝરાયેલી સેનાનો દાવો 
હિઝબુલ્લાહ ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો, ઇઝરાયેલી સેનાનો દાવો 

હિઝબુલ્લાહ ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો, ઇઝરાયેલી સેનાનો દાવો 

0
Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયેલ સતત હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે અને હવાઈ હુમલાઓ દ્વારા તેમના સ્થાનોને નષ્ટ કરી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલે મોટો દાવો કર્યો છે કે, હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ માર્યો ગયો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે, હવે હસન નસરાલ્લાહ દુનિયામાં આતંક ફેલાવી શકશે નહીં. હસન નસરાલ્લાહ 32 વર્ષ સુધી સંગઠનનો પ્રમુખ હતો.

ઇઝરાયેલી સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદવ શોશાનીએ X પર એક પોસ્ટમાં કહ્યું છે કે, નસરાલ્લાહ માર્યો ગયો છે. એએફપીના અહેવાલ અનુસાર, ઇઝરાયેલી સેનાના પ્રવક્તા ડેવિડ અબ્રાહમે જણાવ્યું હતું કે, હિઝબુલ્લાના વડા શુક્રવારે લેબનોનની રાજધાની બેરૂતમાં હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. આ ઓપરેશનનું નામ ન્યૂ ઓર્ડર હતું. નસરાલ્લાહના મોતના દાવા બાદ ઈઝરાયેલી સેનાએ કહ્યું, “જે કોઈ ઈઝરાયેલને ધમકી આપે છે, અમે જાણીએ છીએ કે તેના સુધી કેવી રીતે પહોંચવું. આ અમારી ક્ષમતાનો અંત નથી.”

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, તેઓએ એક દિવસ પહેલા જ હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો, જ્યાં હસન નસરાલ્લાહ પણ હાજર હતો. ઈઝરાયેલની સેના બેરૂત સહિત અનેક વિસ્તારોમાં સતત હુમલા કરી રહી છે. IDF એ બેરુતના દહિયાહ શહેરમાં રહેતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા જણાવ્યું છે. IDFનું કહેવું છે કે હિઝબુલ્લાહ આ જગ્યાઓનો ઉપયોગ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે કરી રહ્યું છે.

ઈઝરાયેલની ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર, આ એર સ્ટ્રાઈકમાં નસરાલ્લાહ સિવાય તેની પુત્રી ઝૈનબનું પણ મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નસરાલ્લાહની પુત્રીનો મૃતદેહ કમાન્ડર સેન્ટરમાંથી મળ્યો હતો જેના પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલા શુક્રવારે રાત્રે ઈઝરાયેલે હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર મિસાઈલ છોડી હતી, જેમાં 6 લોકો માર્યા ગયા હતા અને 90 લોકો ઘાયલ થયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code