1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં બીયુ પરમિશન નહીં હોય તો પણ હોટલ, રેસ્ટોરન્ટ્સને ફુડ લાઈસન્સ અપાશે
અમદાવાદમાં બીયુ પરમિશન નહીં હોય તો પણ હોટલ, રેસ્ટોરન્ટ્સને ફુડ લાઈસન્સ અપાશે

અમદાવાદમાં બીયુ પરમિશન નહીં હોય તો પણ હોટલ, રેસ્ટોરન્ટ્સને ફુડ લાઈસન્સ અપાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં  મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક દાયકા પહેલાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની અમલવારી શરૂ કરવામાં આવી હતી પણ છેલ્લા એક દાયકાથી રેસ્ટોરેન્ટને ફુડ લાઈસન્સ ઇસ્યુ કરવામાં વિસંગતતા પ્રવર્તતી હતી કેમ કે, મ્યુનિ. ની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા એક દાયકા પહેલાં એક ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેરમાં 40 ચો.મી. સુધીના ક્ષેત્રફળ ધરાવતાં રેસ્ટોરેન્ટ હોય તો તેઓને બીયુ પરમિશન ન હોય તો પણ ફુડ લાઈસન્સ આપવામાં આવતા હતા જ્યારે અન્ય મોટા ક્ષેત્રફળ ધરાવતાં રેસ્ટોરેન્ટને બીયુ પરમિશન ન હોય તો ફુડ લાઈસન્સ ઇસ્યુ કરવામાં આવતા ન હતા.

તાજેતરમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા મહત્ત્વનો નિર્ણય કરી તેની અમલવારી શરૂ કરી દેવાઇ છે. અમદાવાદ શહેરમાં હવે રેસ્ટોરેન્ટ પાસે બીયુ પરમિશન નહીં હોય તો પણ તેમને જરૂરી પુરાવા રજુ કર્યાથી ફુડ લાઈસન્સ ઇસ્યુ કરી દેવાશે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જુદા-જુદા પ્રોડક્ટ માટે નક્કી કરેલા પુરાવા રજુ કરવાના રહેશે પણ તેમાં બીયુ પરમિશન નહીં હોય તો પણ લાઈસન્સ ઇસ્યુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  કેન્દ્ર સરકારે 2006માં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બનાવ્યો હતો જેના નિયમો 2011માં અમલી કરવામાં આવ્યા હતા પછી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની ઓગસ્ટ 2011થી અમલવારી શરૂ કરવામાં આવી હતી જોકે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ પહેલાં બીપીએમસી એક્ટ પ્રમાણે ખાદ્ય પદાર્થ અને અખાદ્ય પદાર્થ માટે લાઈસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા જેના કારણે ખાદ્ય પદાર્થનું વેચાણ કરતાં એકમોએ બે લાઈસન્સ લેવા પડતાં હતા.  શહેરમાં કેટલાય નાની દુકાનોમાં ચાલતી રેસ્ટોરેન્ટોને ફુડ સેફ્ટી લાઈસન્સ મેળવવામાં તકલીફ પડતી હતી

જેથી આઠ-દસ વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીએ એક ઠરાવ કર્યો હતો જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતુ કે, 40 ચો.મી. સુધીનું ક્ષેત્રફળ ધરાવતા રેસ્ટોરેન્ટને બીયુ પરમિશન નહીં હોય તો પણ ફુડ લાઈસન્સ ઇસ્યુ કરવામાં આવશે. જોકે, 40 ચો.મી.થી વધુ ક્ષેત્રફળવાળી રેસ્ટોરેન્ટ પાસે બીયુ પરમિશનની નકલ માગવામાં આવતી હતી . હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા તાજેતરમાં એવો નિર્ણય કરાયો છે કે, અમદાવાદ શહેરમાં રેસ્ટોરેન્ટને ફુડ લાઈસન્સ માટે બીયુ પરમિશનના પુરાવાની માગણી કરવામાં આવશે નહીં. જો કોઇ રેસ્ટોરેન્ટ પાસે બીયુ પરમિશન નહીં હોય તો પણ તેઓને ફુડ લાઈસન્સ ઇસ્યુ કરી દેવાશે. જોકે, આ સુવિધા માત્ર રેસ્ટોરેન્ટ પુરતી સિમીત રહેશે. હોટેલ અને ગેસ્ટ હાઉસ જેવા એકમોએ તો બીયુ પરમિશન હશે તો ફુડ લાઈસન્સ ઇસ્યુ કરવામાં આવશે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code