Site icon Revoi.in

જો ઘરમાં આ તકલીફ જોવા મળે તો સમજી જાવ કે છે કોઈ વાસ્તુદોષ

Social Share

વાસ્તુશાસ્ત્રમાં માનવાવાળો વર્ગ આપણા દેશમાં મોટી સંખ્યામાં છે, પણ કેટલાક લોકો એવા પણ છે કે જેમને આ બધી વાતો વિશે જાણ નથી અને તેઓ હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે જો ઘરમાંથી પૈસા અયોગ્ય રીતે એટલે કે નુક્સાન કે બીમારીઓમાં જતા હોય તો સમજી જાવ કે ઘરમાં કઈક તો ખોટુ થઈ રહ્યું છે જેમ કે વગર કામના પાણીનો બગાડ, બંધ ઘડિયાળ, ઘરમાં તૂટેલો કાંચ, ન કામનુું લોખંડ. કે આ બધી વાતો ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે.

બેડરૂમની દિવાલવાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બેડરૂમમાં દરવાજાની સામે વાળી દિવાલ ખૂબ જ મહત્વની હોય છે. આ સ્થાન નસીબ અને મિલકતનો વિસ્તાર હોય છે માટે એવું કહેવાય છે કે આ દિશા સાચી હોવી ખૂબ જ જરૂરી છે. લોકો અહીં ધાતુની વસ્તુઓ લટકાવતા હોય છે પરંતુ દિવાલમાં તિરાડ પડવી શુભ સંકેત નથી.

પાણીનો નિકાલજે રીતે ટપકતો નળ વાસ્તુ દોષનું કારણ બને છે તે જ રીતે પાણીનો ખોટી દિશામાં કરવામાં આવેલો નિકાલ પણ અશુભ ગણાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પાણીનો નિકાલ ઘણી વસ્તુઓને અસર કરતું હોય છે. જેમના ઘરમાં પાણીનો નિકાલ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોય છે તેમને આર્થિક સમસ્યાઓ સાથે અન્ય ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઉત્તર દિશા અથવા પૂર્વ દિશામાં કરવામાં આવેલો પાણીનો નિકાલ આર્થિક દ્રષ્ટીએ શુભ હોય છે. માટે ઘર બનાવતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.