Site icon Revoi.in

શાંતિથી સૂવા માંગો છો તો તમારી ખાવાની આદતોને સુધારી લો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો

Social Share

ફિઝિકલી અને મેન્ટલી હેલ્ધી રહેવું હોય તો રાત્રે સારી રીતે સૂવું ખૂબ જ જરૂરી છે. સ્ટડી દર્શાવે છે કે આપણા આહારની ઊંઘ પર પણ અસર પડે છે. આવી સ્થિતિમાં, તમે તમારા આહારમાં સુધારો કરીને તમારી ઊંઘ સુધારી શકો છો.

રાત્રે સારી ઊંઘ લેવી આપણા હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. સારી ઊંઘ ના આવવાથી આપણા ફિઝિકલી અને મેન્ટલી હેલ્થ પર ખરાબ અસર પડે છે. 7-8 કલાકની ઊંઘ ના લેવાથી ઘણા હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. ઊંઘ અંગે સ્ટડીમાં જાણવા મળ્યું છે કે અમુક ખાદ્ય પદાર્થો આપણા ઊંઘના ચક્રને બગાડે છે. સંશોધકો મુજબ, સારો ખોરાક અને ખરાબ ખોરાક ઊંઘની ગુણવત્તાને અસર કરે છે. ખાવાની ટેવ હંમેશા સારી હોવી જોઈએ.

તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર લેવાથી ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ મળી શકે છે. તમારી ડાયટમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, પોષક તત્વો, ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. ડિનરમાં મજબૂત અથવા કેફીનયુક્ત ખોરાક લેવાનું ટાળો, કારણ કે આ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.

કેટલાક ફૂડ્સ ઊંઘ સુધારવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, ડાયટમાં ચેરીનો રસ, અખરોટ અને કેટલીક ફેટી માછલીનો સમાવેશ કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. તેથી આ ખોરાકને તમારા આહારમાં રાખો.