1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં મહેસુલ વિભાગ દ્વારા 30 મામલતદારોની સાગમટે બદલી,
ગુજરાતમાં મહેસુલ વિભાગ દ્વારા 30 મામલતદારોની સાગમટે બદલી,

ગુજરાતમાં મહેસુલ વિભાગ દ્વારા 30 મામલતદારોની સાગમટે બદલી,

0
Social Share

ગાંધીનગરઃ  રાજ્યમાં મહેસુલ વિભાગ દ્વારા જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકારે 30 મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે. રાજકોટ, ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, વડોદરા સહિતના અનેક જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સપ્તાહ પહેલા જ ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યારબાદ જિલ્લા કલેકટરે પણ મહુધા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. અને અરજદારોની ફરિયાદો સાંભળી હતી. દરમિયાન રાજ્યમાં ઘણા મામલતદારો સામે સરકારને ફરિયાદો મળી હતી. તેથી  રવિવાર રજાનો દિવસ હોવા છતાં ગયા અઠવાડિયે જિલ્લાના 80 નાયબ મામલતદારની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં મહેસુલ, પુરવઠા , ઇ – ધરા સહિતના નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં જોડાયેલા નાયબ મામલતદારો સિવાયના તમામ નાયબ મામલતદાર કલેકટર દ્વારા તાત્કાલિક બદલીની જગ્યાએ હાજર થવા સૂચન કરવામાં આવ્યું હતું. હવે વધુ 30 મામલતદારોની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ કલેકટર કચેરીમાં ચૂંટણી શાખામાં ફરજ બજાવતા મામલતદાર એચ.એલ.ચૌહાણની ચૂંટણી શાખામાંથી બદલી કરી તેઓને ડીઝાસ્ટર શાખામાં મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે જામનગર, કલેકટર કચેરીના અધ્યક્ષ બી.ટી. લવાણીને  જામનગરમાં અને જૂનાગઢ કલેકટર કચેરીમાં ચૂંટણી શાખામાં ફરજ બજાવતા પાઉભાઈ મુસાભાઈની બદલી કરી તેઓને જૂનાગઢમાં ડીઝાસ્ટર મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. રાજયમાં 30 મામલતદારોની બદલીના મહેસુલી વિભાગ દ્વારા ઓર્ડર કરી દેવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code