Site icon Revoi.in

સરહદ ઉપર બાંગ્લાદેશી નાગરિકોની ઘુસણખોરીના પ્રયાસો વધ્યા

Social Share

ગુવાહાટીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે પોલીસે ચાર બાંગ્લાદેશી નાગરિકોને કરીમગંજ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતા અટકાવ્યા હતા. શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. જો કે, પોલીસે અસરકારક રીતે દરમિયાનગીરી કરી અને તરત જ તેમને પાછળ ધકેલી દીધા હતા, આમ અનધિકૃત પ્રવેશના તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. મુખ્યમંત્રીએ અગાઉ કહ્યું હતું કે, બાંગ્લાદેશની સ્થિતિ ઉત્તર-પૂર્વીય રાજ્ય માટે બે બાબતોમાં ચિંતાનો વિષય છે, એક સરહદ પારથી લોકોની ઘૂસણખોરીની સંભાવના અને બીજું, પડોશી દેશ ફરીથી આતંકવાદીઓનું હબ બની શકે છે.

સરમાએ કહ્યું હતું કે, સરહદો સુરક્ષિત છે અને રાજ્ય સરકાર કડક દેખરેખ રાખી રહી છે, તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી કોઈને પણ બાંગ્લાદેશથી દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી અને ફક્ત તે જ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જેમની પાસે માન્ય પાસપોર્ટ અને વિઝા છે અને જેઓ ભારતના નાગરિકો છે. આસામ પોલીસના મહાનિર્દેશક જી.પી. સિંહે કહ્યું હતું કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર ‘હાઈ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ રાજ્યમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ ન કરી શકે.

પડોશી દેશ બાંગ્લાદેશમાં સંકટની સ્થિતિ ઉભી થઈ છે. ઉપદ્રવ્યીઓ દ્વારા હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચારની નિંદા દુનિયાના અનેક દેશોએ કરી છે, એટલું જ નહીં યુએનએ પણ ચિંતા વ્યક્ત કરી છે.