Site icon Revoi.in

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 10’માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાયો

Social Share

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રા ધામ સોમનાથ મંદિર નજીક આવેલા સોપાટી ગ્રાઉન્ડ પર આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશ્વયોગ દિન ઊજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યોગના આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, ટ્રસ્ટના કર્મચારીઓ તેમજ શાળાના બાળકો જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો યોગ અભ્યાસુઓને લીંબુ શરબત પીવડાવી ગ્લુકોઝ યુક્ત બિસ્કીટ વિતરણ કરાયું

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે રાજ્યના પર્યટન વિભાગ દ્વારા આઇકોનિક પ્લેસ તરીકે ઘોષિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં દરિયાકાંઠે આવેલા ચોપાટી ગ્રાઉન્ડમાં પ્રતિ વર્ષ વિશ્વ યોગ દિવસ પર હજારો યોગ અભ્યાસુ યોગાસનો કરે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સહયોગમાં રહીને વિશ્વ યોગ દિવસ પર વધુને વધુ લોકો યોગ સાથે જોડાઈ તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે.

સોમનાથ ટ્રસ્ટના ઉપક્રમે આજે સુમુદ્રકાંઠે આવેલા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગદિનની ઊજવણી કરવામાં આવી હતી. 10′ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર હજારોની સંખ્યામાં યોગ અભ્યાસુઓએ  સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોગ અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા અનુસાર પ્રત્યેક યોગ અભ્યાસુને ઠંડું લીંબુ શરબત પીવડાવવામાં આવ્યું હતું. તેમજ યોગ અભ્યાસ કરવા આવેલા શાળાના બાળકો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગ્લુકોઝ યુક્ત બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. યોગના આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, વેરાવળ-સોમનાથના અગ્રણીઓ અને સોમંનાથ દાદાના દર્શન માટે આવેલા ભાવિકો પણ જોડાયા હતા.