Site icon Revoi.in

લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઇઝરાયેલી હવાઈ હુમલા

Social Share

ઈરાનના મિસાઈલ હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હુમલા તેજ કર્યા છે. મંગળવારે મોડી રાત્રે ઈઝરાયેલે ફરી એકવાર અનેક ટાર્ગેટ પર મિસાઈલ હુમલો કર્યો, જેના કારણે ઘણી ઈમારતોમાંથી ધુમાડાના વાદળો નીકળતા જોવા મળ્યા.
ગ્રાઉન્ડ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલી સૈનિકો લેબનોનની દક્ષિણી સરહદે જમીનમાં 400 મીટર સુધી ઘૂસી ગયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેઓ હિઝબુલ્લાહના ટાર્ગેટોને નષ્ટ કરવા માટે જમીન પર રેડ પાડી રહ્યા છે. જોખમને જોતા લેબનોને સરહદથી 25 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામોને ખાલી કરાવ્યા છે. આ ગામોમાં સામાન્ય લોકો રહેતા નથી. અહીં માત્ર સેના અથવા હિઝબુલ્લાના આતંકવાદીઓ સાથે જોડાયેલા લોકો જ રોકાયા છે.

હિઝબુલ્લાહના ગઢ દાહિદમાં હવાઈ હુમલો
ઘટનાસ્થળે પહોંચેલ રિપોર્ટરે જણાવ્યું કે કેવી રીતે ઈઝરાયેલના હુમલા બાદ આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. રિપોર્ટરની સામે ઘણી ઇમારતો આગની લપેટમાં જોવા મળી હતી. ઇઝરાયેલે મંગળવારે મોડી રાત્રે અને બુધવારે વહેલી સવારે લેબનોનમાં હિઝબુલ્લાહના ગઢ દાહિદ પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. જો કે આ હવાઈ હુમલામાં કેટલા લોકોના મોત થયા છે તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.