સવારે ઉઠીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ ઠંડુ પાણી પીવું કે ગરમ જાણવું જરૂરી છે. સવારે ગરમ પાણી પીવું પાચન તંત્ર માટે સારુ માનવામાં આવે છે.
પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે. તેમજ ઘણી બીમારીઓથી બચાવે છે. તેથી, દરેક વ્યક્તિએ દરરોજ નિયમિત રીતે 2-3 લિટર પાણી પીવું જોઈએ.
આયુર્વેદમાં માનવામાં આવે છે કે પાણી પીવાથી દિવસની શરૂઆત કરવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર રહે છે. તેથી જ મોટાભાગના લોકો સવારે ઉઠ્યા પછી પાણી પીવું પસંદ કરે છે. આમાંથી કેટલાક લોકો ગરમ પાણી પીવે છે તો કેટલાક ઠંડુ પાણી પીવે છે. આવામાં, જાણીએ કે બંનેમાંથી કઈ વધુ ફાયદાકારક અને અસરકાર.
ગરમ પાણી પાચનતંત્રને એક્ટિવ કરે છે અને આંતરડામાં રહેલી ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.. ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ પણ વધે છે. ગરમ પાણી પીવાથી શરીરમાં જમા થયેલી ચરબી ઝડપથી બર્ન થાય છે. વહેલી સવારે ગરમ પાણી પીવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
હેલ્થ એક્સપર્ટ મુજબ, સવાર-સવારમાં ગરમ પાણી જ પીવું જોઈએ, કેમ કે ઠંડુ પાણી મુકશાન પહોંચાડી શકે છે. ઠંડુ પાણી પાચનતંત્રને સંકુચિત કરી શકે છે અને ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનાથી અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઠંડુ પાણી પીવાથી બ્લડ વેસલ્સ સંકોચાઈ શકે છે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશન ધીમું પડી જાય છે અને શરીરને યોગ્ય સમયે પોષક તત્વો નથી મળતા. આ સિવાય ઠંડુ પાણી પીવાથી શરીરનું તાપમાન ઘટે છે, જેના કારણે શરીર તેના સામાન્ય તાપમાનમાં પાછા આવવા માટે વધુ ઊર્જા ખર્ચે છે અને થાક લાગે છે.
આયુર્વેદમાં કહેવાયું છે કે જો તમે સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ ગરમ પાણી પી લો તો શરીરમાં ત્રણે દોષો – વાત, પિત્ત અને કફ સંતુલિત રહે છે. તેનાથી 56 પ્રકારની બીમારીઓ દૂર રહી શકે છે. આમ કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ નહીં થાય, મોટાપો, હાર્ટ ડિજીજ, ડાયાબિટીસ, શરદી અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે.