1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જય શાહ ICC ચેરમેન બન્યા બાદ સાળંગપુરમાં કષ્ટભંજન દાદાના લીધા આર્શીવાદ
જય શાહ ICC ચેરમેન બન્યા બાદ સાળંગપુરમાં કષ્ટભંજન દાદાના લીધા આર્શીવાદ

જય શાહ ICC ચેરમેન બન્યા બાદ સાળંગપુરમાં કષ્ટભંજન દાદાના લીધા આર્શીવાદ

0
Social Share
  • જય શાહે કષ્ટભંજન હનુમાનજીની પૂજા-અર્ચના કરી,
  • સંતોએ જય શાહનું સન્માન કરી આશીર્વાદ આપ્યા,

બોટાદઃ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના દર્શન માટે આઈસીસીના ચેરમેન જય શાહ આવતા મંદિરના કોઠારી સ્વામી સહિત સંતોએ તેમનું સન્માન કરીને આશીર્વાદ આપ્યા હતા. ગુરુવારે જય શાહ ICC ના ચેરમેન બન્યા બાદ પ્રથમ વાર સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના ચરણે શિશ ઝુકાવ્યા હતા. અને દાદાની પૂજા અર્ચના કરી હતી  અને સાંજની આરતીના દર્શન કર્યા હતા.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શન માટે આઈસીસીના ચેરમેન જય શાહ આવ્યા હતા. મંદિરના કોઠારી સ્વામી, અને સંતોએ  જય શાહનું સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા.  જય શાહે કષ્ટભંજન હનુમાનજી દાદાના ચરણે શિશ ઝુકાવ્યું હતુ. અને દાદાની પૂજા અર્ચના કરી હતી   સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી દ્વારા જય શાહને દાદાની મૂર્તિ ભેટ અપાઈ હતી. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ ગોપીનાથજી ભગવાનની પ્રતિમા ભેટ આપી હતી.

મંદિર દ્વારા જણાવાયું કે, ICCના  સૌથી યુવા ચેરમેન તરીકે  નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને આવ્યા હતા. અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ICCના  સૌથી યુવા ચેરમેન તરીકે  નિયુક્ત થયા બાદ પહેલીવાર પધાર્યા હતા. તેમણે હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી  કરી હતી. આ સાથે જ બીસીસીઆઈ સચિવે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ  મેળવી અને ધન્યતા અનુભવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code