Site icon Revoi.in

હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલન, કાર દબાઈ જતાં પાંચ ગુજરાતીના મોત

Social Share

અમદાવાદઃ ઉત્તરાખંડમાં હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલન થતાં સ્વિફ્ટ ડિઝાયર કાર દબાઈ જતાં પાંચ લોકોનાં મોત થયાં હતા. મૃતકોમાં 4 ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. હરિદ્વારથી કેદારનાથ વચ્ચે રસ્તા વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લાના હીલ વિસ્તારમાં કાર જઈ રહી હતી ત્યારે  ભૂસ્ખલન થતાં કાર દાટાઈ ગયાનું સ્થાનિક તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. કારમાં સવાર 4 શ્રદ્ધાળુ ગુજરાતીઓ હતા, જેમાં 3 અમદાવાદ અને એક મહેમદાબાદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરાખંડમાં હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલન થતાં સ્વિફ્ટ ડિઝાયર કાર દબાઈ જતાં પાંચ લોકોનાં મોત થયાં હતા. મૃતકોમાં 4 ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. હરિદ્વારથી કેદારનાથ વચ્ચે રસ્તા વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લાના હીલ વિસ્તારમાં કાર જઈ રહી હતી ત્યારે  ભૂસ્ખલન થતાં કાર દાટાઈ ગઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાંની સાથે જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ધોધમાર વરસાદના કારણે કામમાં અવરોધ ઊભો થયો હતો. અને હવામાન ચોખ્ખું થઈ ગયું ત્યારે પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીના કહેવા મુજબ મૃતકોની યાદીમાં ગુજરાતના જિગર આર. મોદી, મહેશ દેસાઈ, દિવ્યેશ પારેખ, મનીષકુમારનાં નામ છે. આ સાથે હરિદ્વારના મિન્ટુ કુમારનો સમાવેશ થાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થવાથી અમદાવાદના ઈસનપુર વોર્ડમાં ઘોડાસર વિસ્તારમાં આવેલી ન્યૂ આરતી સોસાયટીના ત્રણ રહિશો અને એક મહેમદાવાદના એક યુવકનું મૃત્યુ થયું હતુ. ધારાસભ્ય અમૂલ ભટ્ટ દ્વારા સરકાર સાથે સંકલનમાં રહીને પોસ્ટમોર્ટમ બાદ તમામના મૃતદેહ ઝડપથી અમદાવાદ લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે કેદારનાથ ધામ તરફ જતા ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે પરનો વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. લગભગ 60 મીટર રોડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને ધોવાઈ ગયો છે. રુદ્રપ્રયાગ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના મોટા ભાગના જિલ્લાઓમાં 11 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.