Site icon Revoi.in

ભારત અને મ્યાનમાર વચ્ચે રૂપિયો-ક્યાત વેપાર તંત્રની શરૂઆત

Social Share

નવી દિલ્હીઃ ભારત અન્ય દેશો સાથે પોતાનો વેપાર વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. આ ક્રમમાં ભારત અને મ્યાનમાર વચ્ચે રૂપિયા-ક્યાત વેપાર વ્યવસ્થા શરૂ થઈ છે. ભારતે રૂપિયા-ક્યાટ વેપાર કરાર હેઠળ પ્રથમ વખત મ્યાનમારમાં રૂ. 1 કરોડથી વધુની કિંમતની કઠોળની નિકાસ કરી છે. આ પગલાંથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વેગ મળશે અને સ્થાનિક કરન્સીનો ઉપયોગ વધશે.

યાંગોનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રૂપિયા-ક્યાત વેપાર કરારની વ્યવસ્થા હવે કાર્યરત છે. પંજાબ નેશનલ બેંકના યંગુન કાર્યાલયે આજે રૂ. 1 કરોડથી વધુ મૂલ્યના પ્રથમ પલ્સ નિકાસ વ્યવહારને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, એમ નિવેદનમાં જણાવાયું છે. અમે બંને બાજુના વ્યવસાયોને આ વ્યવસ્થાનો લાભ લેવા પ્રોત્સાહિત કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે, ભારતીય દૂતાવાસે ભારત-મ્યાનમાર ચેમ્બર ઓફ કોમર્સ (IMCC)ના સહયોગથી ફેબ્રુઆરીમાં રૂપિયા-ક્યાત વેપાર કરારના ઉપયોગ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અગાઉ, મ્યાનમારની સેન્ટ્રલ બેંકે 26 જાન્યુઆરી, 2024ના રોજ સ્પેશિયલ રુપી વોસ્ટ્રો એકાઉન્ટ (SRVA) હેઠળ ચુકવણી પ્રક્રિયાઓ માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આ નવી મિકેનિઝમ દરિયાઈ અને સરહદ વેપાર બંને માટે સ્થાનિક ચલણમાં સીધી ચુકવણી કરીને માલ અને સેવાઓ માટે લાગુ થશે.