1. Home
  2. ગુજરાતી
  3. વિરોધ કરી રહેલા તબીબોને મળવા મમતા બેનર્જી પહોંચ્યા, રાજીનામું આપવાની તૈયારી દર્શાવી
વિરોધ કરી રહેલા તબીબોને મળવા મમતા બેનર્જી પહોંચ્યા, રાજીનામું આપવાની તૈયારી દર્શાવી

વિરોધ કરી રહેલા તબીબોને મળવા મમતા બેનર્જી પહોંચ્યા, રાજીનામું આપવાની તૈયારી દર્શાવી

0
Social Share
  • કોલકાતામાં તબીબો સરકાર સામે કરી રહ્યાં છે વિરોધ પ્રદર્શન
  • જવાબદારો સામે કાર્યવાહીની દીદીએ તબીબોને આપી ખાતરી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટરો અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ ચાલુ છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરોધ કરી રહેલા ડોક્ટરોને મળવા માટે સ્વાસ્થ્ય ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ ‘અમને ન્યાય જોઈએ’ના નારા લગાવ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે, તે ડોક્ટરોને મળવા દીદી બનીને અહીં આવી છે. ગુરુવારે ડોક્ટરોની એક ટીમ નબન્ના બેઠક માટે પહોંચી હતી, પરંતુ આ બેઠક થઈ શકી ન હતી. મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ જુનિયર ડોકટરોને મળવા માટે બે કલાક રાહ જોતા હતા, પરંતુ તેઓ મીટીંગ સ્થળ પર આવ્યા ન હતા. આ પછી તેમણે કહ્યું કે તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે.

મમતા બેનર્જીએ વિરોધ કરી રહેલા ડોકટરોને ખાતરી આપી હતી કે, તેઓ તેમની માંગણીઓ પર ધ્યાન આપશે અને જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, હું અહીં તમને મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ દીદી તરીકે મળવા આવી છું. હું પોતે વિદ્યાર્થી આંદોલન દ્વારા આગળ આવી છું, મેં મારા જીવનમાં પણ ઘણો સંઘર્ષ જોયો છે, હું તમારા સંઘર્ષને સમજું છું. મને મારા પદની ચિંતા નથી. આખી રાત વરસાદ પડ્યો, તેમ છતા તમે અહીં વિરોધ કરવા બેઠા હતા, જેથી મને આખી રાત તમારી ચિંતા થઈ હતી.

સીએમ મમતા બેનર્જીએ કહ્યું, તમારી પાસેથી તમારી માંગણીઓ સાંભળ્યા બાદ હું તેનો અભ્યાસ કરીશ. હું એકલી સરકાર નથી ચલાવતી, હું ચોક્કસ વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારી માંગણીઓનો અભ્યાસ કરીશ અને ઉકેલ શોધીશ. જે પણ દોષિત સાબિત થશે તેને ચોક્કસ સજા થશે. હું તમારી પાસેથી થોડો સમય માંગું છું. રાજ્ય સરકાર તમારી (વિરોધ કરી રહેલા ડોકટરો) સામે કોઈ પગલાં લેશે નહીં. હું તમને કામ પર પાછા આવવા વિનંતી કરું છું. હોસ્પિટલના વિકાસ, માળખાકીય સુવિધાઓ, સુરક્ષાને લગતી તમામ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં પણ કરવામાં આવશે. જ્યારે CPIM સત્તામાં હતી ત્યારે હું 26 દિવસ સુધી ભૂખ હડતાળ પર હતી. આ મારો છેલ્લો પ્રયાસ છે અને હું તમને વચન આપું છું કે કોઈની સાથે અન્યાય કરવામાં આવશે નહીં.

મમતા બેનર્જીના સંબોધન બાદ ડોક્ટરોએ કહ્યું કે, તેઓ અધિકારીઓ સાથે ચર્ચા કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે અમે અમારી પાંચ માંગણીઓ અંગે સરકાર સાથે કોઈપણ ચર્ચા માટે તૈયાર છીએ. આ કોઈ ગેરવાજબી માંગ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code