Site icon Revoi.in

આફ્રિકન દેશોમાં કહેર મચાવી રહ્યો છે મંકીપોક્સ: કાંગોમાં 9 લોકો અને નાઇજીરીયામાં સંક્રમણને કારણે પ્રથમ મૃત્યુ

Social Share

દિલ્હી:કાંગોમાં મંકીપોક્સથી નવ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે નાઇજિરીયામાં આ વર્ષે આ બીમારીથી પ્રથમ મૃત્યુ નોંધ્યું છે.મંકીપોક્સનો પ્રકોપ ઘણા વર્ષો પછી અચાનક સામે આવ્યો છે. કાંગોમાં સંકુરુ સ્વાસ્થ્ય વિભાગના વડા ડૉ.અમે અલોંગોએ સોમવારે જણાવ્યું હતું કે,દેશમાં આ બીમારીની 465 કેસની પુષ્ટિ થઈ છે. પશ્ચિમ અને મધ્ય આફ્રિકા મંકીપોક્સથી સૌથી વધુ પ્રભાવિત છે. ડૉ. અલોંગોએ જણાવ્યું કે,કાંગોમાં આ બીમારી મરેલા વાંદરાઓ અને ઉંદરોના સેવનથી ફેલાઈ છે.

અધિકારીએ કહ્યું કે,”રહેવાસી જંગલમાં પ્રવેશ કરે છે, મૃત વાંદરાઓ, ચામાચીડિયા અને ઉંદરોને ઉપાડે છે, જે મંકીપોક્સના સ્ત્રોત છે.”. અધિકારીએ મંકીપોક્સના લક્ષણો વાળા લોકોથી પૃથક-વાસમાં રહેવા માટે સ્વાસ્થ્ય કેન્દ્ર જવાનો આગ્રહ કર્યો.આ વચ્ચે નાઇજીરીયામાં રોગ નિયંત્રણ એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે,દેશમાં આ વર્ષે મંકીપોક્સથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. નાઈજીરીયા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ જાહેરાત કરી કે,2022 માં રોગના 66 શંકાસ્પદ કેસોમાંથી 21 ની પુષ્ટિ થઈ છે.

નાઇજીરીયા સીડીસીએ કહ્યું, “40 વર્ષીય દર્દીના મૃત્યુની જાણ કરવામાં આવી છે, જે અન્ય રોગોથી પણ પીડિત હતો.”નાઇજીરીયામાં સપ્ટેમ્બર 2017 થી મંકીપોક્સનો પ્રકોપ જોવા મળ્યો નથી, પરંતુ છૂટાછવાયા કેસ નોંધાયા છે. રોગ નિયંત્રણ એજન્સીએ જણાવ્યું હતું કે,તેના 36 માંથી 22 રાજ્યોમાં ઓછામાં ઓછા 247 પુષ્ટિ થયેલા કેસ છે અને મૃત્યુ દર 3.6 ટકા છે.

યુરોપ અને યુ.એસ.માં મંકીપોક્સના કેસોમાં થયેલા વધારાએ એવા દેશોમાં ચિંતા વધારી છે કે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ રોગનો એક પણ કેસ નોંધાયો નથી.વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે 20 થી વધુ દેશોમાં આ રોગના 250 થી વધુ કેસ નોંધાયા છે.બ્રિટનમાં નોંધાયેલા નવા કેસોમાંનો એક એવો દર્દી હતો જે 4 મેના રોજ નાઈજીરિયાથી પાછો ફર્યો હતો. નાઈજીરીયામાં આ રોગના છ કેસની પુષ્ટિ થઈ છે.