Site icon Revoi.in

NDA એ સુશાસનનો પર્યાય : નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ તમામ જોડાણના ભાગીદારોએ સર્વસંમતિથી ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના નેતા નરેન્દ્ર મોદીને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યા પછી, પ્રધાનમંત્રીએ કહ્યું કે NDA સરકાર સુશાસન પ્રદાન કરશે અને તેમને ફરીથી સેવા કરવાની તક આપવા બદલ લોકોનો આભાર માન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઔપચારિક રીતે ભાજપના નેતા, NDA સંસદીય દળના નેતા અને લોકસભાના નેતા તરીકે ચૂંટાયા હતા. એનડીએના સાથી પક્ષોના નેતાઓએ નરેન્દ્ર મોદીને હાર પહેરાવ્યા હતા.

સંસદમાં શુક્રવારે ગઠબંધનના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠકને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, “NDA સરકારે દેશને સુશાસન આપ્યું છે અને એક રીતે, NDA એ સુશાસનનો પર્યાય બની ગયો છે. ગરીબ કલ્યાણ અને સુશાસન આપણા બધા માટે સર્વોપરી રહ્યા છે. એનડીએને સૌથી સફળ ગઠબંધન ગણાવતાં સર્વસંમતિ નિર્માણ તરફના તેમના પ્રયાસો ચાલુ રાખવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી.

“હું દેશની જનતાને ખાતરી આપું છું કે તેમણે અમને સરકાર ચલાવવા માટે જે બહુમતી આપી છે, તે અમારો પ્રયાસ રહેશે કે અમે સર્વસંમતિ તરફ પ્રયત્ન કરીશું અને દેશને આગળ લઈ જવા માટે કોઈ કસર છોડીશું નહીં. NDA લગભગ ત્રણ દાયકા પૂર્ણ કરી ચૂકી છે. કોઈ સામાન્ય વસ્તુ નથી. હું કહી શકું છું કે આ સૌથી સફળ જોડાણ છે,” તેમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

“NDA એ સત્તા મેળવવા અથવા સરકાર ચલાવવા માટે અમુક પક્ષોનો મેળાવડો નથી. આ એક એવું જૂથ છે જે રાષ્ટ્ર પ્રથમની મૂળભૂત ભાવના સાથે પ્રથમ રાષ્ટ્ર માટે પ્રતિબદ્ધ છે, ”એમ તેમણે ઉમેર્યું. તેમને મહાગઠબંધનના નેતા તરીકે પસંદ કરવા બદલ એનડીએના પક્ષોના નેતાઓનો પણ આભાર માન્યો હતો. અગાઉ, જેડી(યુ), ટીડીપી અને શિવસેના સહિતના એનડીએના પક્ષોના નેતાઓએ એક બેઠક યોજી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.