Site icon Revoi.in

1 જૂલાઇએ નિર્મલા સિતારમણ રજુ કરશે પૂર્ણ બજેટ, જાણો નોકરિયાત વર્ગને કઇ રાહત મળવાની છે આશા ?

Social Share

મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન, 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પરંતુ હવે સંપૂર્ણ બજેટ નવી સરકાર રજૂ કરશે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા છે કે સરકાર 1 જુલાઈ, 2024 ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે.

સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. મોદી સરકારે પહેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તે ટૂંક સમયમાં જ દેશના લોકો માટે પોતાનો પિટારો ખોલવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 24 જૂનથી 3 જુલાઈ વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. તેમજ મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ 1 જુલાઈના રોજ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

મોદી 3.0 સરકારમાં, નિર્મલા સીતારમણને ફરી એકવાર નાણા અને કોર્પોરેટ બાબતોના મહત્વપૂર્ણ વિભાગો સોંપવામાં આવ્યા છે. દેશની આર્થિક નીતિ અને કોર્પોરેટ ગવર્નન્સના સંચાલનમાં સારી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી આપવામાં આવી છે. સીતારમણની વાપસી તેમના સફળ ટ્રેક રેકોર્ડ પર આધારિત છે. ભારતીય અર્થવ્યવસ્થાએ 2023-24માં 8.2 ટકાની મજબૂત જીડીપી વૃદ્ધિ હાંસલ કરી છે. વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં આ સૌથી ઝડપી છે અને ફુગાવાનો દર 5 ટકાથી નીચે આવી ગયો છે.

વચગાળાના બજેટ દરમિયાન નાણામંત્રી દ્વારા પગારદાર વર્ગને ધ્યાનમાં રાખીને કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. તેથી, નોકરિયાત વર્ગને આ બજેટમાં સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હાલમાં, ટેક્સની જવાબદારી જૂની ટેક્સ સિસ્ટમ અને નવી ટેક્સ સિસ્ટમના આધારે બનાવવામાં આવે છે. પગારદાર વર્ગ માટે ​​નવી કર વ્યવસ્થા હેઠળ મુક્તિ મર્યાદા વર્તમાન રૂ. 7 લાખથી વધીને રૂ. 8 લાખ થવાની ધારણા છે. આ સિવાય જૂની ટેક્સ વ્યવસ્થામાં પણ રાહતની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને આ હેઠળ ટેક્સમાં છૂટ 2.5 લાખ રૂપિયાથી વધીને 3 લાખ રૂપિયા થઈ શકે છે.