1. Home
  2. ગુજરાતી
  3. ‘બોલવાની તક જ અપાતી નથી’ મમતા બેનર્જી નીતિ આયોગની બેઠક અધવચ્ચે જ છોડીને નીકળી ગયા
‘બોલવાની તક જ અપાતી નથી’ મમતા બેનર્જી નીતિ આયોગની બેઠક અધવચ્ચે જ છોડીને નીકળી ગયા

‘બોલવાની તક જ અપાતી નથી’ મમતા બેનર્જી નીતિ આયોગની બેઠક અધવચ્ચે જ છોડીને નીકળી ગયા

0
Social Share

નીતિ આયોગની બેઠક હાલ ચર્ચામાં છે..કારણકે વિપક્ષમાંથી એક માત્ર મમતા બેનર્જીએ જ આ બેઠકમાં ભાગ લીધો છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની આ બેઠક ચાલી રહી છે. અહેવાલ છે કે મમતા બેનર્જી મીટિંગ અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં, મમતાએ આ દરમિયાન કહ્યું કે આ કેવી રીતે ચાલે?

મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે મીટિંગમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. તેમને સભામાં બોલવાની તક આપવામાં આવતી નથી. આ કેવી રીતે ચાલી શકે ?

કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે – મમતા

મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. મેં કહ્યું કે તમારે (કેન્દ્ર સરકાર) રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ. હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ બોલવા દેવામાં આવી. મારા પહેલાના લોકોએ 10-20 મિનિટ વાત કરી. વિપક્ષમાંથી માત્ર હું જ આ બેઠકમાં ભાગ લઈ રહી હતી પરંતુ તેમ છતાં મને બોલવા દેવામા નઆવી. . આ અપમાનજનક છે. આ માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે

‘ઇન્ડિયા’ ગઠબંધનના મુખ્યમંત્રીઓ બેઠકમાંથી દૂર રહ્યા

ઘણા વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ બજેટમાં ભેદભાવનો આરોપ લગાવીને નીતિ આયોગની આ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બહિષ્કાર કરનારા મુખ્ય પ્રધાનોમાં તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન તેમજ આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ અને દિલ્હી સરકારોનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ પણ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code