1. Home
  2. ગુજરાતી
  3. હવે અસાધ્યા નથી? આ થેરેપીથી ડાયાબિટીસને હંમેશા માટે દૂર કરાશે!
હવે અસાધ્યા નથી? આ થેરેપીથી ડાયાબિટીસને હંમેશા માટે દૂર કરાશે!

હવે અસાધ્યા નથી? આ થેરેપીથી ડાયાબિટીસને હંમેશા માટે દૂર કરાશે!

0
Social Share

જો બધું બરાબર રહ્યુ તો એ દિવસ દૂર નથી ડાયાબિટીસ હવે અસાધ્ય રોગ નહીં રહે. તેને કંટ્રોલ કરવા માટે પરેશાન નહીં થવું પડે. ચીનના વૈજ્ઞાનિકોએ એવો કમાલ કર્યો છે. દુનિયામાં પહેલી વાર સેલ થેરાપી દ્વારા દર્દીની ડાયાબિટીસને ઠીક કરવામાં આવી છે.

ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ અને શાંઘાઈમાં રેનજી હોસ્પિટલ હેઠળના સેન્ટર ફોર એક્સેલન્સ ઇન મોલેક્યુલર સેલ સાયન્સની ટીમે આ સિદ્ધિ હાંસલ કરી છે.

પેહલી વાર ડાયાબિટીસની સારવાર
જે દર્દીની ડાયાબિટીસ સરખી કરી છે તે તેની ઉંમર 59 વર્ષ છે, જે પાછલા 25 વર્ષોથી ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત હતા. 2017માં તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયું હતું. તેના મોટાભાગના પેનક્રિયાજ આઈલેટ કામ કરતા ન હતા. પેનક્રિયાજ લોહીમાં ગ્લુકોઝનું લેવલ કંટ્રોલ કરે છે. જેના કારણે તેને દરરોજ ઈન્સ્યુલિનના અનેક ઈન્જેક્શન લેવા પડતા હતા.

આ રીતે થઈ સારવાર
દર્દીનું નવીન સેલ ટ્રાન્સપ્લાન્ટ જુલાઈ, 2021 માં કરવામાં આવ્યું હતું. 11 અઠવાડિયા પછી તેને બાહ્ય ઇન્સ્યુલિનની જરૂર નહોતી. બ્લડ ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવા માટેની દવા પણ ધીમે ધીમે ઓછી થઈ અને એક વર્ષ પછી તે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. ટ્રાન્સપ્લાન્ટ પછી, તેનું ફોલોઅપ લેવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે તેના પેનક્રિયાજનું કાર્ય યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. લગભગ 33 મહિના પછી દર્દીને ઇન્સ્યુલિનથી છૂટકારો મળ્યો.

લાંબા સમયથી ચાલતુ સંશોધન
બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવા માટે, ઇન્સ્યુલિન જરૂરી છે, જે પેનક્રિયાજ દ્વારા કરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પ્રભાવિત થાય છે, ત્યારે આ સિસ્ટમ કામ કરી શકતી નથી. તેના કારણે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code