1. Home
  2. ગુજરાતી
  3. લો બોલો, હવે કોર્ટ સંકુલમાં કહેવાતા વકીલોનો રાફડોઃ 12 લાખ વકીલો બોગસ
લો બોલો, હવે કોર્ટ સંકુલમાં કહેવાતા વકીલોનો રાફડોઃ 12 લાખ વકીલો બોગસ

લો બોલો, હવે કોર્ટ સંકુલમાં કહેવાતા વકીલોનો રાફડોઃ 12 લાખ વકીલો બોગસ

0
Social Share

દિલ્હીઃ અવાર-નવાર બોગસ તબીબો અને નકલી પોલીસની ઘયના સામે આવે છે. જો કે, ભારતની વિવિધ કોર્ટમાં કાર્યરત 20 લાખ કરતા વધારે વકીલો પૈકી 60 ટકા એટલે કે 12 લાખ વકીલો બોગસ હોવાનું સામે આવ્યું છે. નકલી વકીલોની સંખ્યામાં બે વર્ષના સમયગાળામાં બમણી થઈ ગઈ છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એટલે કે બીસીઆઈની નવી વેરિફિકેશન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે. વકીલો માટે દર પાંચ વર્ષે લાયસન્સ રિન્યુ કરવાનું ફરજિયાત કરવાનો નિયમ બનાવતા આ જાણકારી સામે આવી હતી. બોગસ વકીલોને સીસ્ટમમાંથી બહાર કાઢવા અને પ્રેકટીસ કરતા વકીલોની વેરિફિકેશન પ્રક્રિયા સુદ્રઢ કરવા બીસીઆઈએ રાજ્યની તમામ બાર કાઉન્સિલોને એનરોલમેન્ટ ફી ચાર્જ કરવાની ભલામણ કરી છે. તેમની યુનિવર્સિટી અને કોલેજની ડીગ્રીઓ વેરિફિકેશન માટે મોકલવામાં આવશે. બીસીઆઈને તપાસમાં જાણ થઈ છે કે કોર્ટમાં યોગ્ય સર્ટિફિકેટો વિના અનેક વકીલો પ્રેકટીસ કરી રહ્યા છે. ગયા વર્ષે તેણે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે ભારતમાં રજિસ્ટર થયેલા 20 લાખ વકીલો પૈકી 30 ટકા વકીલોની ડીગ્રી બોગસ છે.

તેને અટકાવવા બીસીઆઈએ રાજ્યની તમામ બાર કાઉન્સિલને વકીલો પાસેથી એનરોલમેન્ટ ફી તરીકે રૂા. 2,500 વસુલવા જણાવ્યું છે. નવી ગાઈડલાઈન્સ મુજબ એક એડવોકેટે રાજ્યની બાર કાઉન્સિલમાં નોંધણી કરાવતી વખતે પોતાની શૈક્ષણિક ડીગ્રીઓ સંબંધિત તમામ દસ્તાવેજો સુપરત કરવાના રહેશે. બાર કાઉન્સિલ આ દસ્તાવેજો સુપરત થયાના પાંચ દિવસમાં સંબંધિત યુનિવર્સિટી અથવા બોર્ડને ચકાસણી માટે મોકલશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code