Site icon Revoi.in

પીએમ મોદીએ સંકલ્પ સપ્તાહની શરૂઆત કરી – લોકો સાથે વાતચીત પણ કરી

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે દેશના મહત્વાકાંક્ષી બ્લોક્સ માટે ‘સંકલ્પ સપ્તાહ’ની શરૂઆત કરી. ‘સંકલ્પ સપ્તાહ’ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ (ABP) ના અસરકારક અમલીકરણ સાથે સંકળાયેલ છે. મહત્વાકાંક્ષી બ્લોક માટે ‘સંકલ્પ સપ્તાહ’ કાર્યક્રમ આખા સપ્તાહ દરમિયાન ચાલશે. આ દરમિયાન પીએમ મોદીએ લોકો સાથે વાત પણ કરી હતી.

7 જાન્યુઆરી, 2023ના રોજ પીએમ મોદી દ્વારા દેશવ્યાપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેનો હેતુ નાગરિકોના જીવનની ગુણવત્તાને વધારવા માટે બ્લોક સ્તરે વહીવટમાં સુધારો કરવાનો છે. દેશના 329 જિલ્લાના 500 મહત્વાકાંક્ષી બ્લોકમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામના અમલીકરણ અને અસરકારક બ્લોક વિકાસ વ્યૂહરચના તૈયાર કરવા માટે, સમગ્ર દેશમાં ગ્રામ્ય અને બ્લોક સ્તરે મંથન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સંકલ્પ સપ્તાહ’ આ ચિંતન શિબિરોનું પરિણામ છે.ઉદ્દઘાટન કાર્યક્રમમાં ભારત મંડપમ ખાતે દેશભરમાંથી લગભગ 3,000 પંચાયત અને બ્લોક સ્તરના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત, બ્લોક અને પંચાયત સ્તરના અધિકારીઓ, ખેડૂતો અને અન્ય વિસ્તારોના વ્યક્તિઓ સહિત લગભગ બે લાખ લોકો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા.

3 ઑક્ટોબર થી 9 ઑક્ટોબર, 2023 સુધી ઉજવવામાં આવતા ‘સંકલ્પ સપ્તાહ’માં દરેક દિવસ ચોક્કસ વિકાસ થીમને સમર્પિત છે જેના પર તમામ મહત્વાકાંક્ષી બ્લોક્સ કામ કરશે. પ્રથમ છ દિવસની થીમમાં ‘સંપૂર્ણ આરોગ્ય’, ‘સુખ પોષિત કુટુંબ’, ‘સ્વચ્છતા’, ‘કૃષિ’, ‘શિક્ષણ’ અને ‘સમૃદ્ધિ દિવસ’નો સમાવેશ થાય છે. સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 9 ઓક્ટોબર, 2023 ના રોજ સમગ્ર સપ્તાહ દરમિયાન કરવામાં આવેલ કાર્યને ‘સંકલ્પ સપ્તાહ-સમાપ્તિ સમારોહ’ તરીકે ઉજવવામાં આવશે.