1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી શનિવારે ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે
PM મોદી શનિવારે ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

PM મોદી શનિવારે ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

0
Social Share
  • ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટીને વેગ મળશે
  • લોકોને મુસાફરી માટે વિશ્વ કક્ષાની સેવા મળશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટે બપોરે 12.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 3 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ‘મેક ઈન ઈન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના વિઝનને પરિપૂર્ણ કરીને, અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ રૂટ પર કનેક્ટિવિટી સુધારશે – મેરઠ-લખનૌ, મદુરાઈ-બેંગ્લોર અને ચેન્નાઈ-નાગરકોઈલ.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, PM મોદી 31 ઓગસ્ટે ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેનો ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટી વધારશે. આ ઉપરાંત નવી વંદે ભારત ટ્રેન મુસાફરોને વિશ્વ કક્ષાની સેવાઓ પૂરી પાડશે, મુસાફરીનો સમય ઘટાડશે અને પ્રવાસનને વેગ આપશે.

તમને જણાવી દઈએ કે, આ વંદે ભારત ટ્રેનો હાલમાં ચાલી રહેલી હાઈ સ્પીડ ટ્રેનોની સરખામણીમાં મુસાફરીનો સમય ઘટાડશે. મેરઠ સિટી-લખનૌ વંદે ભારત દ્વારા અંદાજે 1 કલાકનો મુસાફરીનો સમય, ચેન્નાઈ એગમોર-નગરકોઈલ વંદે ભારત દ્વારા 2 કલાક અને મદુરાઈ-બેંગલુરુ વંદે ભારત દ્વારા 1.5 કલાકની બચત થશે.

આ નવી વંદે ભારત ટ્રેનો આ વિસ્તારના લોકોને ઝડપ અને સુવિધા સાથે મુસાફરી કરવા માટે વિશ્વ કક્ષાની સેવા પૂરી પાડશે. તે 3 રાજ્યો – ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના લોકોની લાંબા સમયથી ચાલતી માંગને પણ પૂર્ણ કરશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની રજૂઆત નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થી સમુદાયની જરૂરિયાતોને પૂરી કરવા માટે રેલ સેવાના નવા ધોરણની શરૂઆત કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code