1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં ધ્વજ પૂજા માટે ચાલતી તૈયારીઓ,
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં ધ્વજ પૂજા માટે ચાલતી તૈયારીઓ,

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં ધ્વજ પૂજા માટે ચાલતી તૈયારીઓ,

0
Social Share

સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના દર્શનનું શ્રાવણ મહિનામાં વિશેષ મહાત્મ્ય છે. અને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડતા હોય છે. અને મોટી સંખ્યામાં મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે. તેમાં પણ ભાવિકોની સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા. ત્યારે 30 દિવસનો શ્રાવણ રુપી શોવિત્સવ આવી રહ્યો હોય મહાદેવની ધ્વજા પૂજા અગાઉના વર્ષો કરતા વધુ નોંધવાની સંભાવના છે. જેને લઇને ટ્રસ્ટે આગવી તૈયારીઓ કરી મોટીમાત્રામાં ધ્વજા પૂજા થઈ શકે તેવી પૂરતી તૈયારીઓ કરી છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદીમાં જમાવાયું છે. કે, સોમનાથ મહાદેવજીની ધ્વજા પૂજા ભક્તોનું કલ્યાણ કરવાની સાથે તેમના પિતૃઓને સદગતિ આપે છે. ધ્વજા પૂજા કરવાથી ભક્તની યશ, કીર્તિ, અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. ધ્વજા કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે જેથી જ્યોતિષ શાસ્ત્ર ની દ્રષ્ટિ એ પણ ધ્વજા પૂજા અતી મહત્વની અને પુણ્યદાયક માનવામાં આવે છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની ધ્વજા એકંદરે 21 મીટરની હોય છે. જેમાં મહાદેવનું ત્રિશૂળ અને નંદીજી બિરાજમાન હોય છે. આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર પર 155 ફૂટની ઊંચાઈ પર ફરકાવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા તાલીમ અપાયેલા કર્મચારીઓ શિખરથી નીચે સુધી બંધાયેલ દોરડા અને સેફ્ટી બેલ્ટ સાથે શિખર પર ચડીને ધ્વજારોપણ કરે છે. ભક્તો પોતાના હાથે ધ્વજા શિખર પર ચડાવી શકે તેના માટે ટ્રસ્ટ સ્વહસ્ત ધ્વજા રોહણ સેવા આપે છે. જેમાં ભક્તો ધ્વજને પાત્રમાં મૂકીને દોરડા વડે ઉચ્ચાલન કરીને ધ્વજને શિખર પર પહોંચાડે છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ધ્વજાઓ સ્થાનિક મધ્યમવર્ગીય મહિલાઓ પાસે ધ્વજા નિર્માણ કરાવવામાં આવે છે. હાલમાં સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગાર મેળવીને આત્મનિર્ભર બન્યા છે. 3 પેઢીથી આ પરિવાર ધ્વજા નિર્માણનું કાર્ય કરી રહ્યો છે.  સોમનાથ ખાતે દર્શન માટે આવતા ભક્તો વિશેષ રૂપે ધ્વજા પૂજા કરી પોતાના પરિવાર તેમજ પૂર્વજોના ઉદ્ધારની પ્રાર્થના કરતા હોય છે. શિવજીને પ્રિય એવા શ્રાવણ માસમાં અત્યાર મોટી માત્રામાં દર્શનાર્થીઓ પધારવાના હોય ત્યારે ગત વર્ષની સાપેક્ષમાં ધ્વજા પૂજા સહિતની પૂજાઓ વધુ માત્રામાં નોંધવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને પ્રેમપૂર્ણ આતિથ્ય અને ઉત્તમ દર્શન અનુભવ આપવાના ધ્યેય સાથે કાર્યરત છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે શ્રાવણમાં આવનારા ભાવિકો માટે ઉત્તમ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ સંકીર્તન ભવન ખાતે સુચારુ પૂજન વ્યવસ્થા ગોઠવી છે. આ કામ માટે ટ્રસ્ટ દ્વારા અલાયદો સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યો છે તેમજ પૂજન સામગ્રી, અને અનુસાંગિક વ્યવસ્થાઓ સહિતની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code