1. Home
  2. ગુજરાતી
  3. પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતના કારણે જીવ ગુમાવનાર લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતના કારણે જીવ ગુમાવનાર લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતના કારણે જીવ ગુમાવનાર લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો

0
Social Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલા જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે.

એક્સ પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું કે “રાજસ્થાનના ધૌલપુરમાં જે અકસ્માત થયો હતો તે હૃદયદ્રાવક છે. જેમાં માસૂમ બાળકો સહિત જીવ ગુમાવનારા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું તમામ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાયમાં રોકાયેલ છે: પીએમ”

મોદીએ જસ્થાનના ધોલપુરમાં દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)એ એક્સ પર પોસ્ટ કર્યુ કે “પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ધૌલપુરમાં દુર્ઘટનામાં મૃતકોના દરેક મૃતકના સંબંધીઓ માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code