1. Home
  2. ગુજરાતી
  3. ટી-20 વિશ્વકપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત
ટી-20 વિશ્વકપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત

ટી-20 વિશ્વકપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત

0
Social Share

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ જીતીને બાર્બાડોસથી દિલ્હી પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત અને કોચ રાહુલ દ્રવિડ સહિત તમામ 15 ખેલાડીઓ PM મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમ સાથે વાત કરતી વખતે વડાપ્રધાન મોદી ખૂબ જ ખુશ દેખાયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ વર્લ્ડ કપની ટ્રોફી પણ હાથમાં લીધી હતી. વાસ્તવમાં વડાપ્રધાન મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને નાસ્તા માટે આમંત્રણ આપ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ બેરિલ તોફાનને કારણે તે પરત ફરી શકી નહોતી. BCCIએ ટીમ ઈન્ડિયા માટે ખાસ ચાર્ટર્ડ એર ઈન્ડિયા ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. આ પછી, ખેલાડીઓ ગુરુવાર (4 જૂન) સવારે વિશેષ વિમાન દ્વારા દિલ્હી પહોંચ્યા. ત્યારબાદ આઈટીસી મૌર્ય હોટલ ખાતે ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code