Site icon Revoi.in

રેલવેએ ટિકિટ બુકિંગને લઈને સિસ્ટમમાં ફેરફાર કર્યો, હવે 60 દિવસ પહેલા રિઝર્વેશન થશે

Social Share

નવી દિલ્હીઃ ટ્રેનમાં પ્રવાસના 120 દિવસ પહેલા ટિકિટ બુક કરવાનો નિયમ છે, પરંતુ ભારતીય રેલવેએ હવે આ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. નવી સિસ્ટમ હેઠળ મુસાફરોએ હવે 120 દિવસ નહીં પરંતુ 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવવી પડશે. રેલવેએ ટિકિટ બુકિંગનો સમય 120 દિવસથી ઘટાડીને અડધો એટલે કે 60 દિવસ કરી દીધો છે. આ નવી સિસ્ટમ 1 નવેમ્બરથી લાગુ થશે.

ટ્રેનોમાં ચાર મહિના પહેલા ટિકિટ બુક કરાવવાની સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મુસાફરો 60 દિવસ પહેલા જ ટ્રેનમાં રિઝર્વેશન કરાવી શકશે. રેલ્વે મંત્રાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું. હવે એડવાન્સ રિઝર્વેશન માટેની સમય મર્યાદા ઘટાડી દેવામાં આવી છે. પહેલા આ સમય મર્યાદા 120 દિવસની હતી, પરંતુ હવે તે 60 થઈ ગઈ છે.

રેલવેના નવા નિયમો અનુસાર હવે ટ્રેનોમાં 120 નહીં પરંતુ માત્ર 60 દિવસ પહેલા જ રિઝર્વેશન કરાવી શકાશે. ભારતીય રેલ્વેએ એડવાન્સ રિઝર્વેશન (ARP) સમયગાળામાં ઘટાડો કર્યો છે. ભારતીય રેલ્વેના આ નવા નિયમો 1 નવેમ્બરથી અમલમાં આવશે.