Site icon Revoi.in

વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા જરૂરીઃ નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં 79માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરતી વખતે ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ સત્રની શરૂઆતમાં કહ્યું, ‘દુનિયાની સૌથી મોટી લોકશાહી અને 140 કરોડ ભારત વતી આપ સૌને શુભેચ્છાઓ. ભારતની જનતાએ મને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. જ્યારે આપણે ગ્લોબલ ફ્યૂચર વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે હ્યૂમન સેંન્ટ્રિક અપ્રોચ પ્રથમ હોવો જોઈએ.

પીએમ મોદીએ કહ્યું, ‘ભારતમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને અમે બતાવ્યું છે કે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સફળ થઈ શકે છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ પણ સફળ થઈ શકે છે. વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા જરૂરી છે. નવી દિલ્હી સમિટમાં આફ્રિકન યુનિયનમાં G20નું સભ્યપદ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું.

• આતંકવાદ પર વાત કરી
પીએમ મોદીએ કહ્યું, ‘એક તરફ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે આતંકવાદ જેવો ખતરો છે અને બીજી તરફ સાયબર, મેરીટાઇમ, સ્પેસ જેવા અનેક ક્ષેત્રો બનાવવામાં આવી રહ્યા છે. આ બધા વિષયો પર હું ભારપૂર્વક કહીશ કે વૈશ્વિક એક્શન અને વૈશ્વિક એંમ્બિશન એક હોવી જોઈએ. ટેકનોલોજીના ઉપયોગ માટે રેગ્યુલેશનની જરૂર છે.

• ‘અમે વિચારો, શબ્દો અને ક્રિયાઓ દ્વારા કામ કરીશું’
પીએમ મોદીએ કહ્યું, ‘એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય એ ભારત માટે પ્રતિબદ્ધતા છે. ભારત વિચારો, શબ્દો અને કાર્યો દ્વારા વૈશ્વિક સમૃદ્ધિ માટે કામ કરવાનું ચાલુ રાખશે. નવી દિલ્હી સમિટમાં આફ્રિકન યુનિયનને G-20નું કાયમી સભ્યપદ આપવામાં આવ્યું હતું, જે એક મહત્વપૂર્ણ પગલું હતું. આપણે માનવ કલ્યાણ, ખોરાક, સ્વસ્થ આહાર સુનિશ્ચિત કરવાનો છે. હું આ તમામ મુદ્દાઓ પર ભાર મૂકીશ કે વૈશ્વિક ક્રિયા વૈશ્વિક મહત્વાકાંક્ષા સાથે મેળ ખાતી હોવી જોઈએ. આપણને આવા વૈશ્વિક ડિજિટલ ગવર્નન્સની જરૂર છે, જે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને અખંડિતતાને અકબંધ રાખે.