1. Home
  2. ગુજરાતી
  3. RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી
RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી

0
Social Share

નાગપુરઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાને રાષ્ટ્રીય સ્વંય સંઘના વડા મોહન ભાગવતજીએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ ભારતની વિકાસયાત્રામાં રતન ટાટાનું યોગદાન યાદગાર છે, તેમજ તમામ ભારતીયો તેને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમ પણ મોહન ભાગવતજીએ જણાવ્યું હતું.

આરએસએસના વડા મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાનું અવસાન તમામ ભારતીયો માટે ખૂબ જ દુઃખદ છે. તેમના નિધનથી ભારતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. ભારતની વિકાસયાત્રામાં રતન ટાટાનું યોગદાન યાદગાર છે. નવી અને અસરકારક પહેલ સાથે, તેમણે ઉદ્યોગના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઘણા શ્રેષ્ઠ ધોરણો સ્થાપિત કર્યા છે. સમાજના હિતને અનુકુળ તમામ પ્રકારના કામોમાં તેમનો સતત સહકાર અને ભાગીદારી રહી છે. રાષ્ટ્રીય એકતા અને સુરક્ષાનો મુદ્દો હોય કે વિકાસનું કોઈ પણ પાસું હોય કે કામ કરતા કર્મચારીઓના કલ્યાણનો મુદ્દો હોય, રતનજી તેમના અનોખા વિચાર અને કાર્યથી પ્રેરણાદાયી રહ્યા છે. ઘણી ઊંચાઈઓ પર પહોંચ્યા પછી પણ તેમની સાદગી અને વિનમ્રતાની શૈલી અનુકરણીય રહેશે. અમે તેમની પવિત્ર સ્મૃતિઓને અમારા નમ્ર અભિવાદન અને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code