1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. AMTS દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને મેટ્રો સ્ટેશનના બસ રૂટનું CMના હસ્તે લોકાર્પણ કરાયું
AMTS દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને મેટ્રો સ્ટેશનના બસ રૂટનું CMના હસ્તે લોકાર્પણ કરાયું

AMTS દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને મેટ્રો સ્ટેશનના બસ રૂટનું CMના હસ્તે લોકાર્પણ કરાયું

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલવે સ્ટેશનથી અન્ય વિસ્તારોમાં જવા માટે તેમજ રિવરફ્રન્ટ જવા માટે એએમટીએસની બસ સેવાનું આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં હવે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી ઓઢવ, આદિનાથ નગર, સિંગરવા ગામ થઈ જવા અને આવવા માટે એએમટીએસ બસ રૂટ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વે, પશ્ચિમ તરફ બોપલ, શીલજ, ઘુમા, પ્રહલાદ નગર ઘાટલોડિયા વિસ્તારમાં AMTS બસ રૂટ શરૂ કરાયો છે, તેમજ રિવરફ્રન્ટ જવા માટે પણ એએમટીએસની બસ સુવિધા મળી રહેશે.

અમદાવાદમાં મેટ્રો સ્ટેશનથી લોકો પોતાના વિસ્તારમાં સરળતાથી જઈ શકે તેના માટે હવે એએમટીએસ દ્વારા મેટ્રો ફીડર બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. મેટ્રોના બે મુખ્ય સ્ટેશન થલતેજ અને વસ્ત્રાલથી ફીડર બસ સેવા શરૂ થઈ છે, આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટના રૂટની  પણ બસ શરૂ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી બસોનું આજે પ્રસ્થાન કરાવ્યું હતું. થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વેથી પશ્ચિમ તરફ બોપલ, શીલજ, ઘુમા, પ્રહલાદ નગર ઘાટલોડિયા વિસ્તારમાં AMTS બસ જશે. જ્યારે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી ઓઢવ, આદિનાથ નગર, સિંગરવા ગામ થઈ અને વસ્ત્રાલ પરત ફરશે.

એએમટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે, મેટ્રો સ્ટેશનના કનેક્ટિવિટી માટે થલતેજ મેટ્રો સ્ટેશનથી કુલ 6 રૂટ પર સરકયુલર અને એન્ટી સરકયુલર રુટની એએમટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. જ્યારે થલતેજથી સાઉથ બોપલની 60 નંબર શટલ બસ રૂટ શરૂ કરાયો છે. થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વે ના પશ્ચિમ તરફના બોપલ, હેબતપુર, શિલજ, ઘુમા, સિંધુભવન રોડ, વકીલ સાહેબ બ્રિજ તેમજ સોલા, ઘાટલોડિયા, ભૂયંગદેવ, ગુજરાત હાઇકોર્ટ, સાયોના સીટી, સતાધાર ચાર રસ્તા ગુલાબ ટાવર સહિતના વિસ્તારોમાં સરકયુલર અને એન્ટી સરકયુલર રૂટ પર બસ ફરશે. થલતેજથી સાઉથ બોપલ શટલ બોપલ વિસ્તારના નાગરિકો માટે જશે.

આ ઉપરાંત પૂર્વ વિસ્તારના મેટ્રો સ્ટેશન વસ્ત્રાલથી બે રૂટ પર AMTS બસ જશે. જે માધવ ફાર્મ, આદિનાથ નગર, ઓઢવ, સિંગરવા, રણજીપુરા, નિરાંત ચોકડી થઈ પરત વસ્ત્રાલ ફરશે. વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન માટે માત્ર બસો મૂકવામાં આવી છે. જ્યારે થલતેજ મેટ્રો સ્ટેશન રૂટ પર 14 બસો મૂકવામાં આવી છે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ ઉપર વાસણાથી વાડજ પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ માટે કુલ 2 બસો મૂકવામાં આવી છે. થલતેજથી દર 25 મિનિટે એક બસ મળશે. વસ્ત્રાલથી દર 20 મિનિટે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ પર 15 મિનિટે બસ મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code