Site icon Revoi.in

કોલકાતા મહિલા તબીબ હત્યા કેસમાં આરોપી સંજય રોયે કર્યો લૂલો બચાવ

Social Share

• ડોક્ટર લોહીથી લથપથ હતી, હું ડરીને ભાગી ગયોઃ સંજ્ય રોય
• સમગ્ર કેસમાં નિર્દોષ હોવાનો કર્યો દાવો

નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરની હત્યા અને બળાત્કાર કેસમાં આરોપી સંજય રોયએ તેની વકીલ કવિતા સરકારને કહ્યું છે કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. કવિતાએ સરકારને કહ્યું કે, પોલિગ્રાફ ટેસ્ટ દરમિયાન પણ સંજયે પોતાની નિર્દોષતા જાહેર કરી હતી. તેને એમ પણ કહ્યું કે તે મહિલા ડોક્ટરનો ખૂની નથી. તેની લોહીથી લથબથ બોડી જોઈ ભાગી ગયો હતો.

પોલિગ્રાફ ટેસ્ટ દરમિયાન સંજય રોયને 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં મહિલાની હત્યા કર્યા બાદ તેણે આગળ શું કર્યું, તે પ્રશ્નનો સમાવેશ પણ થાય છે. તેણે સીબીઆઈ અધિકારીઓને કહ્યું કે પ્રશ્નખોટો છે કેમ કે તેણે ડોક્ટરની હત્યા કરી નથી.

• લોહીથી લથપથ જોઈને ડરીને હું ભાગી ગયો- સંજય રોય
સંજયએ પોલિગ્રાફ ટેસ્ટમાં દાવો કર્યો છે કે, તે હોસ્પિટલના સેમિનાર હોલમાં ગયો ત્યારે મહિલા બેભાન હતી. સંજયે કહ્યું કે તેણે 9 ઓગષ્ટે સેમિનાર હોલમાં મહિલાને લોહીથી લખપથ જોઈ હતી. સંજય રોયે દાવો કર્યો હતો કે, ડોક્ટરને લોહીથી લથપથ જોઈને તે ગભરાઈને રૂમની બહાર ભાગી ગયો હતો.

• પીડિતાના મોત અંગે પોલીસને કેમ જાણ કરવામાં ના આવી? સંજય રોયે જણાવ્યું હતું
અખબાર સાથે વાત કરતા આરોપી સંજય રોયના વકીલે કહ્યું હતું કે, “જો કોઈ વ્યક્તિ માટે રૂમમાં પ્રવેશવું એટલું સરળ હતું, તો સંભવ છે કે સંજય સિવાય કોઈ બીજી વ્યક્તિ પણ ત્યાં જઈ શકે.” સંજય રોયે એવો પણ દાવો કર્યો હતો કે તે પીડિતાને ઓળખતો નથી અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. સંજયને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તે નિર્દોષ છે તો તેણે પોલીસને જાણ કેમ ના કરી, તો સંજયે કહ્યું કે તેને ડર હતો કે, કોઈ તેની વાત પર વિશ્વાસ ના કરે.

ગયા મહિને, કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી તરીકે કામ કરતા એક ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર જાતીય હુમલો અને 25 બાહ્ય અને આંતરિક ઇજાઓ જોવા મળી હતી. શરુઆતની તપાસમાં ઘણા પુરાવાઓના આધારે આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી.