Site icon Revoi.in

બિહારના સિદ્ધનાથ મંદિરમાં નાસભાગ સાત શ્રદ્ધાળુઓના મોત, 16 ઘાયલ

Social Share

પટનાઃ બિહારના જહાનાબાદ જિલ્લાના બાબા સિદ્ધનાથ મંદિરમાં મોડી રાત્રે થયેલી નાસભાગમાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું જાણવા મળે છે, અને 16 અન્ય ઘાયલ થયા હતા. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકોમાં મોટાભાગના કાવડિયા હોવાનું સામે આવ્યું છે.

જિલ્લા અધિકારી અલંકૃતા પાંડેએ જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કંવરિયાઓ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ તેમની વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી, જેના કારણે મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. પાંડેએ જણાવ્યું કે, આ ઘટના રવિવારે મોડી રાત્રે લગભગ 11.30 વાગ્યે બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, શ્રાવણના ચોથા સોમવારના દિવસે ભગવાન શિવને જલાભિષેક કરવા મંદિર તરફ જતા રસ્તા પર નાસભાગ મચી ગઈ હતી. કતારમાં ઉભેલા ભક્તોના ધક્કા અને ધક્કાના કારણે રેલિંગ તૂટી ગઈ અને આ અકસ્માત થયો.