ગુજરાત સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3થી 5 ટકાનો વધારો કરાયો

રાજ્યના 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને મળશે લાભ, મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવાશે, ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ, 2025થી આપવાનો નિર્ણય કર્યો […]

ગુજરાતમાં નવચરિત તાલુકાઓના કેટલાક ગામોમાં ફેરફાર કરાયો

સુરત, મહીસાગર અને ખેડા જિલ્લાના નવરચિત તાલુકાના કેટલાક ગામોમાં ફેરફાર, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ(ચીખલોડ)ના બદલે ફાગવેલ રહેશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં અંગે મંજૂરી આપવામાં આવી હતી. વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું […]

2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ કેન્દ્રીય સહાય રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) માંથી પૂરી પાડવામાં આવે છે, જે વર્ષની શરૂઆતમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માં ઉપલબ્ધ બેલેન્સના […]

મોદી સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં વર્ધા – ભુસાવલ – ત્રીજી અને ચોથી લાઇન – 314 કિમી (મહારાષ્ટ્ર), ગોંદિયા – ડોંગરગઢ – ચોથી લાઇન – 84 કિમી (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ), વડોદરા – રતલામ – […]

અમદાવાદમાં 12મી અને 13મી ઓક્ટોબરે શહેરી વિકાસ સપ્તાહ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે

શહેરના બ્રિજો અને અન્ય સ્થળો પર વોલ મ્યુરલ્સ પેઇન્ટિંગ કરાશે, સફાઈકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરાશે, AMC દ્વારા 27 કરોડથી વધુના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે અમદાવાદઃ ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે. 20 વર્ષ બાદ 2025ના વર્ષને પુનઃ એક વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં છે. રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત તેમજ વિકાસ […]

ગુજરાતમાં કફ સિરપ બનાવતી 500થી વધુ કંપનીઓમાં કરાયો તપાસનો આદેશ

બે કંપનીઓના સિરપમાંથી ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું, MPના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત બાદ હોબાળો મચ્યો, MPએ ગુજરાતની બે કંપનીના સિરપ પર રોક લગાવી દીધી અમદાવાદઃ મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત થતાં એમપીના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા ગુજરાતની બે કંપનીઓના કફ સિરપમાં ખતરનાક […]

ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારીત પેન્શનરોને માત્ર 1200નું નજીવું માસિક પેન્શન મળે છે

EPS-95 હેઠળ મળતું પેન્શન પ્રતિ માસ રૂ. 10 હજાર કરવા કોંગ્રેસની માગણી, કેન્દ્ર સરકારમાં અનેક રજુઆતો અને સુપ્રિમનો ચૂકાદો છતાં પેન્શન વધારાતુ નથી, કોંગ્રેસના સાંસદો કેન્દ્રના નાણા મંત્રીનો રજુઆત કરશે અમદાવાદઃ દેશભરમાં 78 લાખથી વધુ EPS-95 આધારીત પેન્શનરો નજીવા પેન્શનને લીધે દયનીય હાલતમાં જીવી રહ્યાં છે. ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારીત પેન્શનરોને સરેરાશ માત્ર 1200/- જેટલું નજીવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code