આપણા સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આજે 15 ઓગસ્ટના રોજ, 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતી વખતે ‘ઓપરેશન સિંદૂર’ના બહાદુર સૈનિકોને સલામ કરી.તેમણે કહ્યું કે આપણા સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે. સેનાએ સેંકડો કિલોમીટર દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને ઇમારતોને ખંડેરમાં ફેરવી દીધી. પ્રધાનમંત્રી […]

ગુજરાતભરમાં આજે શીતળા સાતમનું પર્વ ભક્તિભાવથી ઊજવાયુ

શીતળા માતાજી અને બળિયાદેવની પૂજા માટે મંદિરોમાં ઉમટી પડી, શીતળા માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના યોજાઈ, બળિયાદેવને ઠંડી વાનગીઓનો પ્રસાદ ધરાવાયો અમદાવાદઃ ગુજરાતભરમાં આજે શીતળા સાતમનું પર્વ ભક્તિભાવ રીતે ઊજવાયું હતુ. શીતળા માતાજીના મંદિરોમાં અને બળિયા દેવના મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મોટાભાગના પરિવારોએ આજે ઠંડુ ભોજન આરોગીને પર્વની ઉજવણી કરી હતી. શહેરો કરતા […]

અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધ્વજવંદન કરીને શુભેચ્છા પાઠવી

નાગરિકોને વોટ ચોરીથી આઝાદી અપાવવાનો સંકલ્પ કરાયો, ભય, ભુખ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ મક્કમતાથી લડત આપશે, સ્વાતંત્ર્ય પર્વની ઊજવણીમાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો હાજર રહ્યા અમદાવાદઃ આઝાદીના 78 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં કોંગ્રેસ પરિવારના […]

નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અન્ય ઘણા નેતાઓએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ ભારત આજે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, “સ્વતંત્રતા દિવસ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હું ઈચ્છું છું કે આ શુભ અવસર તમામ દેશવાસીઓના […]

અમદાવાદમાં ડિમોલિશન કરવા પહોંચેલી મ્યુનિની ટીમ પર લોકોએ કર્યો પથ્થરમારો

શહેરના જશોદાનગર વિસ્તારમાં બન્યો બનાવ, એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો, દબાણો હટાવવા સામે મહિલાએ અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો અમદાવાદઃ શહેરના જશોદાનગર વિસ્તારમાં દૂકાનોના ડિમોલિશન કરવા પહોંચેલી એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મ્યુનિની એસ્ટેટ વિભાગની ટીમ જશોદાનગરમાં રોડ તપાસની જગ્યાએ એક દુકાનનું ડિમોલિશન […]

ગુજરાતમાં હર ઘર તિરંગા અને સ્વચ્છતાના કાર્યક્રમમાં 22.40 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

તિરંગા યાત્રાને સફળ બનાવવા 50 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરાયુ, રાજ્યના 33 જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ, તિરંગા સાથે સેલ્ફી કાર્યક્રમમાં 5.45 લાખથી વધુ નાગરિકો જોડાયા અમદાવાદઃ રાષ્ટ્રધ્વજના સન્માનમાં તા.8થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ, સ્વચ્છતા તેમજ દેશ પ્રત્યે વધુ રાષ્ટ્ર ભાવના આવે તે માટે ‘રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ’ની ઉજવણી […]

ગુજરાતઃ ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા

અમદાવાદઃ જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code