ભારતઃ 73 ભીડભાડવાળા મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સ્ટેશન નિદેશક તૈનાત કરાશે

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે 73 ભીડભાડવાળા મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સ્ટેશન નિદેશક તૈનાત કરવામાં આવશે, જેઓ તહેવારો દરમિયાન સ્ટેશનો પર ભીડ ઘટાડવા માટે તાત્કાલિક નિર્ણયો લઈ શકશે. ગઈકાલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનોની બહાર કાયમી હોલ્ડિંગ એરિયા અને પહોળા ફૂટઓવર બ્રિજ બનાવીને ભીડ વ્યવસ્થાપનમાં […]

હિંદ મહાસાગર ક્ષેત્રની આસપાસના દેશો સાથે ભારતના મજબૂત રાજકીય સંબંધો: વિદેશ રાજ્યમંત્રી

નવી દિલ્હીઃ વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું છે કે હિંદ મહાસાગર ક્ષેત્રની આસપાસના દેશો સાથે ભારતના મજબૂત રાજકીય સંબંધો છે અને તેમની સાથે વેપાર અને રોકાણ સંબંધો વધારવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ દેશો સાથે વિકાસ યોજનાઓ અને માળખાગત સહકાર પ્રગતિમાં છે અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ ચાલુ છે. ગઈકાલે લોકસભામાં એક […]

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 698.19 અબજ ડોલર થયો

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 25 જુલાઈએ પૂર્ણ થયેલા અઠવાડિયે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 2.7 અબજ ડોલર વધીને કુલ 698.19 અબજ ડોલર થયો છે. આ વૃદ્ધિનો મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ્સમાં થયો વધારો છે, જે 1.31 અબજ ડોલર વધીને 588.93 અબજ ડોલર પર પહોંચી ગયા છે. ડોલર દ્વારા દર્શાવેલા આ […]

ભારતમાંથી વિદેશોમાં પણ કોમ્પ્યુટર હાર્ડવેરની નિકાસ થવા લાગશે: પદ્મ ભૂષણ ડો. વિજય ભાટકર

ગાંધીનગરઃ ભારતના સુપર કોમ્પ્યુટર ‘પરમ’ના જનક તરીકે ઓળખાતા પદ્મ ભૂષણ ડો. વિજય ભાટકરે ભારતને કોમ્પ્યુટર હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના અભિયાનની સફળતા તરફ ઇંગિત કરતા કહ્યું કે, હવે એ દિવસો બહુ જ નજીક છે કે, ભારતમાંથી વિદેશોમાં પણ કોમ્પ્યુટર હાર્ડવેરની નિકાસ થવા લાગશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાની ઇજનેરી વિદ્યાશાખામાં અભ્યાસ કરનારા ડો. ભાટકર આજે […]

મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોનની અમેરિકામાં ભારે ડિમાન્ડ, ચીનથી ભારત નીકળ્યું આગળ

અમેરિકામાં ભારતમાં બનેલા સ્માર્ટફોનની ભારે માંગ છે. ખાસ કરીને ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે, ભારતમાં બનેલા સ્માર્ટફોનની નિકાસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 2024 થી 2025 દરમિયાન અમેરિકામાં આયાત કરવામાં આવતા સ્માર્ટફોનમાં, ચીનમાં બનેલા ફોનનો હિસ્સો 61 ટકાથી ઘટીને માત્ર 25 ટકા થઈ ગયો છે. ભારતમાં બનેલા સ્માર્ટફોનની અમેરિકામાં ડિલિવરી 240 ટકા […]

ગુજરાતઃ નાગરિકોના સ્વાસ્થ સુરક્ષા માટે સરકારની ક્રાંતિકારી પહેલ

ગાંધીનગરઃ ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને એક ક્રાંતિકારી પહેલના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે “આરોગ્ય સમીક્ષા કેન્દ્ર”નો શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય સમીક્ષા કેન્દ્ર માત્ર એક જ મહિનામાં રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં, લાભાર્થીઓ પાસેથી પ્રતિભાવ મેળવવામાં અને ડેટા આધારિત નિર્ણયો લેવા માટેનું […]

અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને ત્રણ એવોર્ડ

ગાંધીનગરઃ શનિવાર 2 ઓગષ્ટે દિલ્હી ખાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને ત્રણ એવોર્ડ મળશે. જેમાં ગુજરાત સરકારને “એક્સલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન”. ન્યુ સુરત સિવિલ હોસ્પિટલને “બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર” અને કિડની ઇન્સ્ટીટ્યુટને “ ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ” કેટેગરીમાં એવોર્ડ અપાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code