અમદાવાદમાં મ્યુનિના જર્જરિત બનેલા સ્ટાફ ક્વાટર્સને રિ- ડેવલોપ કરાશે

શહેરમાં 40 વર્ષથી વધુ જુના 7 મ્યુનિ. સ્લમ ક્વાર્ટર્સને રીડેવલપ કરાશે, રાજ્ય સરકાર દ્વારા મ્યુનિના રિ-ડેવલપ પ્રોજેક્ટને મળી મંજુરી, મ્યુનિ ક્વાટર્સના 800 મકોનોને રિ-ડેવલપ કરાશે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કર્મચારીઓ માટેના સ્ટાફ ક્વાટર્સ વર્ષો જુના હોવાથી જર્જરિત બની ગયા છે. ત્યારે જર્જરિત ક્વાટર્સને ડિમોલિશન કરીને તેના સ્થાને નવા ક્વાટર્સ બનાવવા રિ-ડેવલપમેન્ટની યાજના બનાવવામાં આવી હતી. તેને […]

ભારતમાં તહેવારોની મોસમમાં 2.16 લાખથી વધુ મોસમી નોકરીની તકો ઉભી થશે

નવી દિલ્હીઃ એક અહેવાલ મુજબ, આ વર્ષે, ભારતમાં તહેવારોની મોસમમાં 2.16 લાખથી વધુ મોસમી નોકરીની તકો ઉભી થશે, જે 2025 ના બીજા ભાગમાં ગિગ અને કામચલાઉ રોજગારમાં વાર્ષિક ધોરણે 15-20 ટકાનો વધારો દર્શાવે છે. આ ઉછાળાને આગળ ધપાવતા મુખ્ય ક્ષેત્રોમાં રિટેલ, ઈ-કોમર્સ, BFSI, લોજિસ્ટિક્સ, હોસ્પિટાલિટી, ટ્રાવેલ અને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)નો સમાવેશ થાય છે. […]

ગુજરાત ‘ટ્રાઈબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ’ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું

ગાંધીનગરઃ ગુજરાત ‘ટ્રાઈબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ’ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોમાં જોવા મળતા રોગોને સમજવાનો અને તેમને વધુ સારી સારવાર પૂરી પાડવાનો છે. આ માહિતી આદિવાસી વિકાસ મંત્રી ડૉ. કુબર ડિંડોરે ગાંધીનગરમાં એક બેઠક દરમિયાન આપી હતી. આ યોજના વિજ્ઞાન અને પરંપરાને જોડીને આદિવાસી સમુદાયોના સ્વાસ્થ્યને સુધારવાનો એક […]

ગુજરાતઃ સંભવિત બ્લેક સ્પોટ પર એક પણ અકસ્માત નહીં થયાનો હર્ષ સંઘવીનો દાવો

ગાંધીનગરઃ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની વાર્ષિક બેઠક ગાંધીનગરમાં પરિવહન મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ વિઝન- 2030 હેઠળ રાજ્યનો આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન હર્ષ સંઘવી સમક્ષ રજૂ કર્યો હતો. આ એક્શન પ્લાનના આધારે, પોલીસ, RTO,રોડ બાંધકામ વિભાગ, આરોગ્ય અને શિક્ષણ વિભાગોના સંયુક્ત પ્રયાસોથી આગામી પાંચ વર્ષમાં […]

પીએમ મોદી શુક્રવારે બિહારની મુલાકાતે, 7217 કરોડની યોજનાઓની આપશે ભેટ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહારના પૂર્વ ચંપારણના જિલ્લા મુખ્યાલય મોતીહારીમાં 7217 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 53મી વખત બિહારની મુલાકાત લેશે અને રાજ્યના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપનારા દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનશે. બિહારના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ આ માહિતી આપી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી […]

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2027 આ તારીખે દિલ્હી-એનસીઆરમાં યોજાશે

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2027 ની ત્રીજી આવૃત્તિની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2027 4 થી 9 ફેબ્રુઆરી 2027 દરમિયાન દિલ્હી-એનસીઆરમાં યોજાશે. આ મોટા કાર્યક્રમનો ઉદ્દેશ્ય મોબિલિટી ક્ષેત્રમાં થઈ રહેલા નવા વિકાસને પ્રદર્શિત કરવાનો અને ઉદ્યોગના નેતાઓ, નીતિ નિર્માતાઓ અને તકનીકી […]

ગુજરાતમાં 39 બ્રિજ જર્જરિત અવસ્થામાં, 97 પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરાયો

ગંભારા બ્રિજની દૂર્ઘટના બાદ સરકાર જાગી, અમદાવાદમાં ‌ત્રણ બ્રિજ પડું પડું છે, ઘણાબધા પુલ બંધ કરીને યોગ્ય ડાયવર્ઝન ન અપાતા વાહનચાલકો પરેશાન અમદાવાદઃ રાજ્યમાં પાદરા નજીક હાઈવે પર મહી નદી પરના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે તમામ પુલોની ચકાસણી  કરીને જરૂર હોય ત્યાં ત્વરિત સમારકામ કરવાના આદેશ કર્યા છે. રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code