અમદાવાદમાં છેલ્લા 9 મહિનામાં 250 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા

રોડ પર પૂરઝડપે વાહન ચલાવીને સ્ટંટ કરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ, અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત થતાં 110 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા, જોખમી અકસ્માતોને રોકવા RTO દ્વારા કરાતી કડક કાર્યવાહી અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકભંગના ગુનાઓ વધતા જાય છે. પૂરફાટ ઝડપે અને બેદરકારીથી વાહનો ચલાવવાને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાય રહ્યો છે. ઉપરાત કેટલાક યુવા વાહનચાલકો રિલ બનાવવાના […]

ગુજરાતઃ વિધાનસભા ખાતે પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે તેમના તૈલચિત્રને આજે વિધાનસભાના સચિવ સી.બી.પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે વિધાનસભાના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ તા. 14મી નવેમ્બર, 1889ના રોજ અલ્લાહાબાદ […]

ભારત અને નેપાળે રેલ-આધારિત માલવાહક પરિવહનને વધારવા માટે કરાર કર્યાં

નવી દિલ્હીઃ ભારત અને નેપાળે રેલ-આધારિત માલવાહક પરિવહનને વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા, જે બંને દેશો વચ્ચે વેપારને વેગ આપશે. આ કરાર જોગબની (ભારત) અને બિરાટનગર (નેપાળ) વચ્ચે રેલ માલવાહક પરિવહનને સરળ બનાવશે, જેમાં વિસ્તૃત વ્યાખ્યા હેઠળ બલ્ક કાર્ગોનો સમાવેશ થાય છે. આ ઉદારીકરણ મુખ્ય ટ્રાન્ઝિટ કોરિડોર – કોલકાતા-જોગબની, કોલકાતા-નૌતાનવા (સુનૌલી) અને વિશાખાપટ્ટનમ-નૌતાનવા […]

ભારતે, નેપાળ સાથે રેલવે કાર્ગો પરિવહન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં તેમના નેપાળી સમકક્ષ અનિલ કુમાર સિંહા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને દેશોએ ભારત અને નેપાળ વચ્ચે પરિવહન સંધિના પ્રોટોકોલમાં સુધારો કરતા લેટર ઓફ એક્સચેન્જ (LoE) પર હસ્તાક્ષર કર્યા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પત્ર જોગબની-બિરાટનગર રેલ લિંક […]

અમદાવાદના નવરંગપુરામાં બંગલામાં 14 લાખની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

પોલીસે ચોરને પકડવા માટે 300 સીસીટીવી કૂટેજ તપાસ્યા, બંગલામાં લગાવેલા સીસીટીવી કૂટેજમાં ચોર દેખાયા જ નહી, તસ્કરોને વસ્ત્રાપુરમાં પણ ચોરી કરી હતી અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં કમલા સોસાયટીના બંગલામાં થયેલી 14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ચોરીના આ ગુનામાં 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. […]

ગુજરાતમાં બે ઋતુ, સવારે ઠંડી અને બપોરે ગરમી, શરદી-ઉધરસ અને તાવના કેસમાં વધારો

આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા, બેઋતુને લીધે વાયરલના કેસમાં થયો વધારો, સવાર અને બપોરના તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રીનો તફાવત અમદાવાદઃ રાજ્યમાં હાલ લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાતથી સવાર સુધી ઠંડી અને બપોરે ગરમી એમ લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બે ઋતુને કારણે વાયરલ બિમારીમાં વધારો થઈ રહ્યો છે. […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાને લીધે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછી ઠેલાવાની શક્યતા

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નવી યાદી જાહેર કરાશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલ-મે સુધી પાછી ઠેલાવવાની શક્યતા, મુદત પૂર્ણ થતાં કેટલીક નગરપાલિકામાં વહિવદાર નિમાવવાની વકી અમદાવાદઃ રાજ્યમા અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મતદાર સુધારણાની કામગીરીને લીધે પાછી ઠેલાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે એપ્રિલ-મે મહિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code