ચાર ભારતીય નાવિકોના મૃત્યુ મામલે ભારતે રશિયન રાજદ્વારીને તલબ કર્યા

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: યુક્રેનના દરિયાકાંઠે રશિયન હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત અંગે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારતે મંગળવારે રશિયાના ‘ચાર્જ ડી અફેર્સ’ (રાજદ્વારી પ્રતિનિધિ) ને તલબ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થયા બાદ રવિવારે ‘MV ગોલ્ડન લિયો’ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે ભારતે ગિની-બિસાઉનો ધ્વજ […]

અમદાવાદઃ હૃદય સુધી ફેલાયેલા કિડની કેન્સરની જટિલ સર્જરી કરીને ડૉક્ટરોએ કર્યો ચમત્કાર

અમદાવાદ, 21 જુલાઈ 2026: અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સર્જનોની સંયુક્ત ટીમે એક અત્યંત દુર્લભ અને જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને 50 વર્ષીય મહિલાનો જીવ બચાવી લીધો છે. કિડનીનું કેન્સર વધીને લોહીની નસો મારફતે સીધું હૃદય સુધી પહોંચી ગયું હતું, જેને આઠ કલાક લાંબી સર્જરી કરીને સફળતાપૂર્વક બહાર […]

દિલ્હી-દમણ ફ્લાઈટને ખરાબ હવમાનને કારણે અમદાવાદ ડાયવર્ટ કરાઈ

અમદાવાદ, 20 જુલાઈ 2026: દિલ્હીથી દમણ આવતી એલાયન્સ એરની ફ્લાઇટ 9I-811 સોમવારે સવારે ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા (લો વિઝિબિલિટી)ને કારણે દમણ એરપોર્ટ પર લેન્ડિંગ કરી શકી નહોતી. પાયલોટે સુરક્ષિત લેન્ડિંગ માટે બે વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે આ ફ્લાઇટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ સોમવારે […]

અમદાવાદ: ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 લોકોનાં મોત, 15થી વધુ ઘાયલ

અમદાવાદ, 18 જુલાઈ 2026: અમદાવાદના મહમૂદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં આઠ લોકોનાં મોત થયાં છે અને અન્ય 15થી વધુ લોકો ઘાયલ થયા છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આજે બપોરે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગાત્રાડ રોડ પર આવેલી ‘મહમૂદપુરા ટેલેન્ટ ફાયરવર્કસ’ ફેક્ટરીમાં અજ્ઞાત કારણોસર આગ લાગી હતી. ફટાકડાની […]

ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદના 5 મહિનાથી આતંકી નેટવર્ક સક્રિય હોવાનું તપાસમાં ખુલ્યું

અમદાવાદ, 18 જુલાઈ 2026: દેશની આંતરિક સુરક્ષાને લઈને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ એક મોટા ઓપરેશનમાં બહુ મોટી સફળતા મેળવી છે. ATS ના એસ.પી. કે. સિદ્ધાર્થે એક વિશિષ્ટ વાતચીતમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઇશારે ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનાથી એક અત્યંત ખતરનાક આતંકી નેટવર્ક સક્રિય થઈ રહ્યું હતું. આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનમાં […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 57 તાલુકામાં પડ્યો વરસાદ, કપરાડામાં 3 ઈંચ

અમદાવાદ, 17 જુલાઈ 2026 : Rain recorded in 57 talukas of Gujarat by this afternoon રાજ્યમાં આજે 57તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં 3 ઈંચ, નવસારીના ખેરગામમાં બે ઈંચ તેમજ પારડી, વઘઈ, ધરમપુર, અને સૌરાષ્ટ્રમાં જુનાગઢ સહિત સોરઠ પંથકમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા, જ્યારે આજે શુક્રવારે સવારે 6 […]

રાત્રિના વધતા તાપમાનને કારણે દેશના મોટા શહેરોમાં લોકોની ઊંઘ છીનવાઈ

નવી દિલ્હી, 16 જુલાઈ 2026: ભારતના મોટા શહેરોમાં બદલાઈ રહેલું હવામાન હવે લોકોની રોજિંદી જિંદગી અને સ્વાસ્થ્ય પર ખૂબ જ માઠી અસર પહોંચાડી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર દિવસનું જ નહીં, પરંતુ રાત્રિનું તાપમાન પણ સતત વધી રહ્યું છે. ગરમ રાતોના કારણે લોકોને પૂરતી ઊંઘ ન આવવી, રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવી અને સવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code