ભારતમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે જીવંત હૃદયનું પરિવહન
અમદાવાદ, 31 જુલાઈ 2026: ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું સફળતાપૂર્વક પરિવહન કર્યું છે. સુરતથી અમદાવાદ સુધી ટ્રેન નં. 20901 મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા […]


