તમારા પૈસા, તમારો અધિકાર: બેંકિંગ સિસ્ટમમાં પડ્યા છે બિનવારસી 78000 કરોડ, PM મોદીની નાગરિકોને ખાસ અપીલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાન્ય જનતાને અપીલ કરતા કહ્યું છે કે, ‘તમારા પૈસા, તમારો અધિકાર’ પહેલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક નાગરિક પોતાનો હકનો પૈસો પાછો મેળવી શકે, કારણ કે ભારતીય બેંકો, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં હજારો કરોડ રૂપિયા ‘બિનવારસી’ પડ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર એક […]

ભારતની 6G યાત્રાનો હેતુ આત્મનિર્ભર ઇકોસિસ્ટમ બનાવવાનોઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારત 6G મિશનને વેગ આપવા માટે ભારત 6G એલાયન્સ (B6GA) હેઠળ સાત સમર્પિત કાર્યકારી જૂથોની રચના કરી છે. આ જૂથોએ મંગળવારે યોજાયેલી ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં તેમની પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ (રોડમેપ) રજૂ કરી હતી. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. મંત્રી સિંધિયાએ વ્યાપક સફળતા સુનિશ્ચિત કરવા […]

યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં દિવાળી પર્વનો સમાવેશ

નવી દિલ્હીઃ ભારતની સૌથી વધુ ઉજવાતી પરંપરાઓમાંની એક, દિવાળી, યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સત્તાવાર રીતે સામેલ થઈ છે. નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા પરની આંતર-સરકારી સમિતિના 20મા સત્ર દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. દિવાળી એકતા, નવીનતા અને સામાજિક સંવાદિતાના મૂલ્યોને મૂર્તિમંત કરે છે અને વૈશ્વિક ભારતીય ડાયસ્પોરામાં વ્યાપકપણે ઉજવાય […]

ગુજરાતઃ 5334 ગામોમાં 10712 પશુ સારવાર કેમ્પ યોજાયા, 5.40 લાખથી વધુ પશુઓને સારવાર અપાઈ

ગાંધીનગરઃ ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન વ્યવસાય એક મહત્વનું પરિબળ પૂરવાર થઇ રહ્યો છે. આ વ્યવસાયને ટકાઉ અને વધુ નફાકારક બનાવવા પશુઓની પ્રજનન ક્ષમતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. કારણ કે, પશુઓના ગર્ભધારણમાં ખામી કે વિલંબ થતા તેની સીધી અસર દૂધ ઉત્પાદન પર થાય છે. રાજ્યના પશુપાલકોને આ આર્થિક નુકશાનથી બચાવવા […]

SIR : 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી

133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100% કામગીરી સંપન્ન ગેરહાજર-સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી CEO તથા જિલ્લાસ્તરે વેબસાઈટ પર મુકાઈ ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ […]

ગુજરાતમાં જમીન માપણીના સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા કલેકટરને હવાલે

અગાઉ જમીન દફતર નિયામકની કચેરી પાસે સત્તા હતી રાજ્ય કક્ષાએ સર્વેયરોને લાયસન્સ આપવાની પ્રથાથી વિલંબ થયો હતો કલેક્ટરોએ દરેક લાયસન્સ અંગેનો રેકોર્ડ સરકારને મોકલવો પડશે ગાંધીનગર: ગુજરાત સરકારે જમીન મિલકતની માપણી પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કર્યો છે. ખાનગી સર્વેયરો (લાયસન્સી સર્વેયરો)ને લાયસન્સ જારી કરવાની જવાબદારી સેટલમેન્ટ કમિશનર-કમ-જમીન દફતર નિયામક કચેરી […]

ગુજરાતઃ ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ 10 લાખથી વધારે ઝૂંપડાઓમાં મફત વીજ કનેક્શન પૂરા પાડ્યા

ગાંધીનગરઃ ગુજરાતમાં ઝૂંપડીઓમાં રહેતાં ગરીબોના ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ અમલમાં છે. આ યોજના અંતર્ગત ઝૂંપડાઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ રૂ. 8,499 લાખના ખર્ચે 1,52,466 ઝૂંપડાઓનું મફત વીજળીકરણ કરી ગરીબના જીવન સ્તરમાં સુધારો લાવવામાં આવ્યો છે. એટલું જ નહીં; સંવેદનશીલ મુખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code