ગુજરાતમાં 16થી 18મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

બુધવારે બપોર સુધીમાં 37 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા, રાજ્યમાં ચોમાસાની સીઝનનો સરેરાશ વરસાદ 64.62 ટકા થયો, સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો સીઝનનો 56.70 ટકા વરસાદ નોંધાયો અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાઈ રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રમાં વરસાદ ન પડવાથી ખરીફ પાક મુરઝાઈ રહ્યો છે. દક્ષિણ ગુજારતામાં છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. […]

E20 ઇંધણના ઉપયોગથી ભારતમાં વાહનોના વીમાની માન્યતા પર કોઈ અસર નહીં થાય

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે 4 ઓગસ્ટ 2025 ના રોજ માઇલેજ અને વાહનની આવરદા પર 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E-20) ની અસર અંગે ઉઠાવવામાં આવેલી કેટલીક ચિંતાઓનો વિગતવાર પ્રતિભાવ જારી કર્યો છે. બાયોફ્યુઅલ અને કુદરતી ગેસ ભારતના પુલ ઇંધણ છે. તેઓ હરિયાળા વિશ્વ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે એક વ્યવહારુ, બિન-વિક્ષેપકારક સંક્રમણનું પ્રતિનિધિત્વ કરે […]

NHRC, ભારતે તેનો બે અઠવાડિયાનો ઓનલાઈન શોર્ટ ટર્મ ઈન્ટર્નશિપ કાર્યક્રમ શરૂ કર્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), ભારતની બે અઠવાડિયાની ઓનલાઈન શોર્ટ ટર્મ ઈન્ટર્નશિપ (OSTI) નવી દિલ્હીમાં શરૂ થઈ છે. દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વિવિધ શૈક્ષણિક શાખાઓના 1,957 અરજદારોમાંથી 80 યુનિવર્સિટી-સ્તરના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બે અઠવાડિયાનો આ કાર્યક્રમ ઈન્ટર્નમાં માનવ અધિકારો, સંબંધિત કાયદાઓ અને સંસ્થાકીય મિકેનિઝમની […]

ગુજરાતમાં દર વર્ષે કૂતરા કરડવાના 2,41 લાખથી વધુ બનાવો, દેશમાં ટોપ 5માં ગુજરાતનો સમાવેશ

અમદાવાદમાં 30 હજારથી વધુ કૂતરાઓનું નસબંધીકરણ, રાજ્યના શહેરો અને ગામડાંમાં રોજ 700 લોકો ડોગ બાઈટનો ભોગ બને છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વર્ષમાં પ્રાણીઓ કરડવાના 29,206 કેસ નોંધાયા અમદાવાદઃ રાજ્યના અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. રાજ્યમાં દર વર્ષે કૂતરા કરડવાના સરેરાશ કેસ 2.41 લાખથી વધુ છે, એટલે […]

અમદાવાદના જયશંકર સુંદરી હોલનું મ્યુનિ.દ્વારા 5 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

ગુજરાત સરકારનો જયશંકર સુંદરી હોલ AMCને 30 વર્ષ માટે સોપવાનો નિર્ણય, શહેરના કોટ વિસ્તારમાં નાટ્યાત્મક સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો યોજી શકાશે, જયશંકર સુંદરી હોલની બેઠકો પણ બદલીને નવીન બનાવવામાં આવશે, અમદાવાદઃ શહેરના લોકો સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ માણી શકે તે માટે જયશંકર સુંદરી હોલનું વર્ષો પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ જયશંકર સુંદરી હોલ જર્જરિત […]

ગુજરાતમાં નવ રચિત 9 મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીઓ 6 મહિનામાં યોજાય તેવી શક્યતા

9 મહાપાલિકામાં મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂંકો કરાઈ, વર્ષના અંતે 15 મહા પાલિકાઓની ચૂંટણી યોજાશે, શહેરમાં વોર્ડ વાઈઝ મતદાર યાદી તૈયાર કરાશે ગાંધીનગરઃ ગુજરાતમાં મહિનાઓ પહેલા નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદ નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ આ તમામ શહેરમાં મ્યુનિ,કમિશનરોએ વહિવટ સંભાળી લીધો છે. તમામ નવ મહાનગર પાલિકાઓમાં નવા વિસ્તારોનો […]

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ પર પોતાના વિચારો શેર કર્યા. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો અને સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ભારતના અડગ અને સુસંગત વલણ અને શાંતિની વહેલી તકે પુનઃસ્થાપનાના પ્રયાસોને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code