અમદાવાદમાં શાળાઓના બાળકોને દર શનિવારે ટ્રાફિક નિયમનના પાઠ ભણાવાશે

ટ્રાફિક વિભાગ દર શનિવારે શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ આપશે, એક નવી સોચ અભિયાન હેઠળ ટ્રાફિક પોલીસ વિભાગે લીધો નિર્ણય, હું હંમેશા ટ્રાફિક રૂલનું પાલન કરીશ તેવી પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ પાસે લેવડાવાશે અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક નિયમોનું વાહનચાલકો પાસે પાલન કરાવવું કઠિન બનતું જાય છે. કારણ કે શિક્ષિત ગણાતા વાહનચાલકો પણ ટ્રાફિક ભંગ કરવામાં મોખરે રહેતા હોય […]

અમદાવાદમાં આવાસ યોજનામાં ભાડે અપાયેલા 21 મકાનોને હાઉસિંગ એસ્ટેટ વિભાગે સીલ કર્યા

ગેરકાયદે રહેતા 174 લોકોને નોટિસ ફટકારી, શહેરના 3,940 મકાનોમાં એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમ દ્વારા તપાસ, લાભાર્થીઓ મકાનોને બીજાને ભાડે આપીને પૈસા કમાઈ રહ્યા હતા અમદાવાદઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા વર્ગના મકાન વિહોણા લોકોને સસ્તાદરે  મકાનો આપવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવાસ યોજનાઓ બનાવીને લાભાર્થીઓને મકાન ફાળવવામાં […]

નકલી કોલ સેન્ટર મામલે અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં અનેક સ્થળોએ EDના દરોડા

મેગ્નેટેલ બીપીએસ કન્સલ્ટન્ટ્સ એન્ડ એલએલપી નામના નકલી કોલ સેન્ટર સાથે સંબંધિત સાયબર છેતરપિંડીની તપાસના સંદર્ભમાં, ED, મુંબઈ ઝોનલ ઓફિસે અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી પુણે સાયબર પોલીસે નોંધેલી FIRના આધારે કરવામાં આવી હતી, જેમાં 8 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ, આ નકલી કોલ સેન્ટર જુલાઈ […]

ગુજરાતમાં મેઘમહેરઃ 101 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ આજે 12મી જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાયના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી પહેલા ભારે વરસાદ જોવા […]

અમદાવાદમાં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 3.90 કરોડનો ખર્ચ કરાશે

એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી અપાઈ, બ્રિજ તોડવાની કામગીરી પહેલા ટ્રાફીક સર્વે કરાશે, છ મહિનામાં હાટકેશ્વર બ્રિજ સંપૂર્ણપણે તૂટી જશે,  અમદાવાદઃ શહેરમાં પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજ 42 કરોડના ખર્ચે બનાવ્યા બાદ બ્રિજ ક્ષતિગ્રસ્ત બનતા કોન્ટ્રાકટની લાપરવાહી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. અને આ મામલે ભારે હોબાળો મચતા તેમજ સ્ટ્રકચર નિષ્ણાતોના રિપોર્ટ બાદ નવો બ્રિજ તોડી નાંખવાનો […]

અમદાવાદમાં વર્ષ 2010 પહેલાના 38 ઓવરબ્રિજનું ઈન્સ્પેક્શન કરીને રિપોર્ટ અપાશે

શહેરમાં 16 બ્રિજના ઇન્સ્પેક્શન રિપોર્ટ ત્રણ મહિને પણ અપાયો નથી, બ્રિજને મરામતની જરૂ હોય તો ત્વરિત કામગીરી કરાશે, સાબરમતી નદી પર બે ઓવરબ્રિજનું લોડ ટેસ્ટ કરાશે  અમદાવાદઃ  વડોદરા નજીક મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વર્ષ 2010 પહેલા બનેલા તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરાવવાનો […]

ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છેઃ ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર, વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં વિશ્વસનીય ભાગીદાર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છે. નવી દિલ્હીમાં CII-ITC સસ્ટેનેબિલિટી એવોર્ડ સમારોહને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે વિશ્વ અશાંતિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે અને વૈશ્વિક પરિસ્થિતિમાં સુધારાના કોઈ સંકેતો દેખાતા નથી, ત્યારે ભારત એક અગ્રણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code