ગુજરાતઃ ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા

અમદાવાદઃ જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી […]

ગુજરાતની ધો. ૧ થી ૮ની તમામ શાળામાં ૩૬૦ ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મુકાશે

શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તે હેતુથી ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું- શાળા શિક્ષણના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ […]

ભારત અને સિંગાપોર વચ્ચે ત્રીજી મંત્રી સ્તરીય બેઠક દિલ્હીમાં યોજાઈ

નવી દિલ્હીઃ ભારત અને સિંગાપોર વચ્ચે ત્રીજી મંત્રી સ્તરીય બેઠક (ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી પરિષદ – ISMR) બુધવારે દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠક બંને દેશો વચ્ચેના સંબંધો અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.ભારત તરફથી, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર,નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી […]

ભારતમાં 8 નાણાકીય વર્ષોમાં UPI વ્યવહારોમાં 114 ટકાનો વધારો થયો

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકોમાં સુધારો કરવા માટે, સરકારે બ્યુરો ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા ટોચના મેનેજમેન્ટની પસંદગી કરવા, રાષ્ટ્રીયકૃત બેંકોમાં બિન-કાર્યકારી અધ્યક્ષોની નિમણૂક, ટેલેન્ટ પૂલનું વિસ્તરણ અને મેનેજિંગ ડિરેક્ટર્સની કામગીરીના આધારે કાર્યકાળ વધારવા જેવી પહેલો શરૂ કરી છે. વધુમાં, EASE (એન્હાન્સ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સેલન્સ) સુધારાને કારણે ગવર્નન્સ, વિવેકપૂર્ણ ધિરાણ, જોખમ વ્યવસ્થાપન, ટેક્નોલોજી, ડેટા […]

ગુજરાતની ધો. 1 થી 8ની તમામ શાળામાં 360 ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મુકાશે

માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે, વિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશે, શિક્ષણને માત્ર પરીક્ષા કેન્દ્રિત ન રાખીને જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મુકાશે, માર્ક્સથી આગળ બાળકોમાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો ત્રિ-આયામી વિકાસ થશે ગાંધીનગરઃ શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો […]

ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા કોલેજની ભેટ: હિંમતનગરમાં 80 સીટ પર પ્રવેશ અપાશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધાઓ વધારવાના પ્રયાસોના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા હિંમતનગરમાં નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજમાં વર્ષ 2025-26થી 80 સીટ પર પ્રવેશની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થશે. ગુજરાતમાં પાંચમી વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત શરૂ થનારી આ કોલેજ ગુજરાતની પાંચમી વેટરનરી […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓને શિક્ષણ બોર્ડના પરિણામને આધારે આર્થિક સહાય અપાશે

સહાય માટે સ્કૂલનું મકાન મંડળ અથવા ટ્રસ્ટનું હોવું જરૂરી, વિજ્ઞાન પ્રવાહ અને ગર્લ્સ સ્કૂલને પ્રાથમિકતા, ગુણોત્સવ ધ્યાને લેવાશે, બિન આદિજાતિ વિસ્તારમાં 75% અને આદિજાતિ વિસ્તારમાં 65% પરિણામ ફરજિયાત અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code