ગુજરાતમાં આજે 90 તાલુકામાં વરસાદ પડ્યો, નવસારી અને વલસાડમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો

નવરાત્રિના ડોમ ઉડ્યા, અનેક ગામોમાં તારાજી, મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી, ગામડાંઓમાં અનેક વૃક્ષો ધરાશાયી, વીજળીના થાંભલા પણ તૂટ્યા, અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ આ વખતે વધુ મહેમાનગતિ માણી છે. અને નવરાત્રીમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં 90થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડું ફુકાયુ છે. જેમાં નવસારી અને વલસાડમાં […]

અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં લંડનથી આવેલા પાર્સલમાં હાઈબ્રિડ ગાંજો નીકળ્યો

પોલીસે અંદાજે 58 લાખની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો, SOGની ટીમે એરપોર્ટ સેક્શન ઓફિસમાં છ પાર્સલની તપાસ કરી હતી, ચોકલેટ અને બિસ્કિટની ભેટ તરીકે લંડનથી પાર્સલ મોકલાયુ હતુ,  અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી મોકલાતા પાર્સલોમાં ડ્રગ્સ પકડવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ લંડનથી મોકલવામાં […]

અમદાવાદ સહિત મહાનગરોમાં ફુડ-રેસ્ટોરન્ટ્સના ધંધાર્થીઓ પર જીએસટીના દરોડા

ફુડ-રેસ્ટોરન્ટના 16 વેપારીઓના 25 સ્થળોએ જીએસટીના અધિકારીઓએ સર્ચ કર્યુ, 52 કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યાં, અધિકારીઓએ ગ્રાહક બનીને ધંધાના સ્થળોએ ખાનગી રાહે ચકાસણી કરી, અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રીના પર્વને લીધે મોડી રાત સુધી ફુડ રેસ્ટોરન્ટ્સ ચાલી રહી છે. ફુડ-રેસ્ટોરન્ટ્સના સંચાલકો દ્વારા જીએસટીની ચોરી થતી હોવાની  માહિતી મળતા  જીએસટીના અધિકારીઓએ અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને […]

પીએમ મોદીએ મન કી બાતમાં અયોધ્યા જતા ભક્તોનો ઉલ્લેખ કર્યો, તેમને આ સ્થળોની મુલાકાત લેવા વિનંતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના 126મા મન કી બાત કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના અયોધ્યાનો ઉલ્લેખ કરીને ભક્તોને અપીલ કરી હતી. મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે મહર્ષિ વાલ્મીકિ જયંતિ આવતા મહિને 7 ઓક્ટોબરે છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ માટે મહર્ષિ વાલ્મીકિ કેટલા મહત્વપૂર્ણ પાયા છે. મહર્ષિ વાલ્મીકિએ જ આપણને ભગવાન રામના […]

ભારતે બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી

ભારતે ગઈકાલે કોલંબોમાં રમાયેલી પેનલ્ટી શૂટઆઉટ મેચમાં બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી લીધી છે. દલ્લામુઓન ગંગટે અને અઝલાન શાહના ગોલથી ભારત શરૂઆતમાં 2-1થી આગળ હતું ત્યારબાદ રમત 2-2થી બરાબર થઈ અને અંતે શૂટઆઉટમાં ભારતનો વિજય થયો

એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૂકાબલો

ભારત આજે દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ મેચની ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે બંને ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારતે અત્યાર સુધીમાં આઠ વખત એશિયા કપ જીત્યો છે. આ વર્ષે, બંને ટીમો ટૂર્નામેન્ટમાં ત્રીજી વખત એકબીજા […]

ભારતનો એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે- વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, ભારતની સામે એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે અને ભારતે સ્વતંત્રતા બાદથી સતત આતંકવાદના પડકારનો સામનો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે દાયકાઓથી, વિશ્વમાં મોટા આતંકવાદી હુમલાઓના મૂળિયાં તે દેશમાં જ નંખાયેલા છે. વિદેશ મંત્રીએ આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code