ગુજરાતમાં જીએસટીની વર્ષ 2024-25ની આવક 1.36.748 કરોડથી વધુ

ગુજરાતમાં GST કરદાતાની સંખ્યામાં 145 ટકાનો વધારો થયો, છેલ્લાં 8 વર્ષમાં કરદાતાઓની સંખ્યા વધીને 12.66 લાખને વટાવી ગઈ, જીએસટીની ગત વર્ષ કરતા રૂ. 11.579 કરોડ વધુ આવક  ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં જીએસટી કરદાતોઓમાં ક્રમશઃ વધારો થતા જીએસટીની આવક પણ વધતા જાય છે. રાજ્યમાં વર્ષ 2024-25માં રૂ. 1,36,748 કરોડની જીએસટીની આવક થઈ છે. જે ગત વર્ષ […]

ગુજરાતમાં આરટીઈની 39996 બેઠકો હજુ ખાલી, વધુ રાઉન્ડ યોજવા NSUIની રજુઆત

ગયા વર્ષે પણ 52221 બેઠક ખાલી રહી હતી, શહેર ડીઈઓને NSUIની આંદોલનની ચીમકી, અમદાવાદઃ રાજ્યમાં ગરીબ બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. ગરીબ બાળકોની ફી ખાનગી શાળાઓને સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. રાજ્યમાં આ વખતે પ્રવેશના ત્રણ રાઉન્ડ યોજ્યા બાદ 39996 બેઠકો ખાલી રહી છે. ત્યારે પ્રવેશનો ચોથો રાઉન્ડ […]

ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યુ, સાંજ સુધીમાં 103 તાલુકામાં પડ્યા વરસાદના ઝાપટાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી બારે વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યુ છે, અને સાંજ સુધીમાં 103 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યભરમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે કેટલાક વિસ્તારોમાં ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગે આજે ભાવનગર અને અમરેલી બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. પણ બન્ને જિલ્લામાં માત્ર વરસાદના […]

ભારત બંધનું એલાનઃ 25 કરોડથી વધુ શ્રમિકો વિરોધ-પ્રદર્શન કરશે, અનેક સેવાઓ ખોરવાશે

9 જુલાઈ (બુધવાર) ના રોજ દેશમાં એક મોટો વિરોધ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ 25 કરોડથી વધુ કર્મચારીઓ અને કામદારો ભારત બંધમાં ભાગ લેશે. તેમનો આરોપ છે કે સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી છે. આ હડતાળની દેશભરમાં વ્યાપક અસર થવાની ધારણા છે. આર્થિક નુકસાનની સાથે, ઘણી મોટી […]

ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ 241.29 ચો.કિ.મીનો નોંધપાત્ર વધારો

ગાંધીનગરઃ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા- FSI 2023ના અહેવાલ મુજબ ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ 241.29 ચો.કિ.મીના નોંધપાત્ર વધારા સાથે ગુજરાત આ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે, તેમ વન વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં FSI-2023ના અહેવાલ […]

ભારત, બાકીના વિશ્વ સાથે, પુનઃશસ્ત્રીકરણના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (DAD) ના કંટ્રોલર્સ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું, ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ઓપરેશનમાં પ્રદર્શિત બહાદુરી અને સ્વદેશી સાધનોની ક્ષમતાના પ્રદર્શનથી સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માંગમાં વધુ વધારો થયો છે. તેમણે કહ્યું કે દુનિયા આપણા સંરક્ષણ ક્ષેત્રને નવા આદરથી જોઈ રહી છે. પોતાના સંબોધનમાં, રાજનાથ સિંહે સશસ્ત્ર […]

નરેન્દ્ર મોદીએ 17મી બ્રિક્સ સમિટમાં ભારતના આગામી અધ્યક્ષપદ માટેનો રોડમેપ રજૂ કર્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી બ્રિક્સ સમિટમાં ભારતના આગામી અધ્યક્ષપદ માટેનો રોડમેપ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે ભારત આવતા વર્ષે ‘માનવતા પહેલા’ના અભિગમ સાથે બ્રિક્સને નવા સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કરશે. આબોહવા પરિવર્તન અને આરોગ્ય સુરક્ષા જેવા મુદ્દાઓ ભારતની પ્રાથમિકતા રહેશે. રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code