ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું દીવાળી વેકેશન પડશે

પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી વેકેશન, માધ્યમિક શાળાઓમાં 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી વેકેશન, ધોરણ 9થી 12ની પ્રિલિમ/બીજી પરીક્ષા 16થી 24મી જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. અને 6ઠ્ઠી નવેમ્બરથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. […]

અમદાવાદમાં મ્યુનિની હોસ્પિટલોમાં રાત્રે ચેકિંગ માટે AMCના અધિકારીઓને અપાયો આદેશ

મ્યુનિની હોસ્પિટલોમાં રાત્રે દર્દીઓ અને સ્ટાફ વચ્ચે ઝઘડાઓ થતા રહે છે, મ્યુનિના 15 અધિકારીઓને ચેકિંગની જવાબદારી સોંપાઈ, રાત્રે સ્ટાફની હાજરી સહિતની વિગતો તપાસીને રિપોર્ટ આપવો પડશે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ સંચાલિત હોસ્પિટલોમાં રાતના સમયે દર્દીઓ કે દર્દીઓના સગાઓ અને હોસ્પિટલના સ્ટાફ વચ્ચે અવાર-નવાર માથાકૂટ થતી હોવાની ફરિયાદો ઉઠતા તેમજ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટીમાં કેટલાક કર્મચારીઓ ઊંઘી જવાની […]

અમદાવાદના માધૂપુરામાં નશાબાજ કારચાલકે અકસ્માત કરતા લોકોએ કારમાં તોડફોડ કરી

કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા, લોકોના ટોળાંથી બચવા કારચાલક કાર સાથે સફળ બિલ્ડિંગમાં ઘૂંસી ગયો, ચાલક કાર મુકીને નાસી જતા લોકોએ કારમાં તોડફોડ કરી અમદાવાદઃ શહેરમાં ઓવરસ્પિડમાં દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં રાતના સમયે કેટલાક વાહનચાલકો નશાની હાલતમાં અકસ્માતો કરતા હોય છે. ત્યારે શહેરના માધુપુરા વિસ્તારમાં ગતરાત્રિએ એક કારચાલકે નશાની […]

ગુજરાત સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3થી 5 ટકાનો વધારો કરાયો

રાજ્યના 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને મળશે લાભ, મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવાશે, ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ, 2025થી આપવાનો નિર્ણય કર્યો […]

ગુજરાતમાં નવચરિત તાલુકાઓના કેટલાક ગામોમાં ફેરફાર કરાયો

સુરત, મહીસાગર અને ખેડા જિલ્લાના નવરચિત તાલુકાના કેટલાક ગામોમાં ફેરફાર, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ(ચીખલોડ)ના બદલે ફાગવેલ રહેશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં અંગે મંજૂરી આપવામાં આવી હતી. વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું […]

2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ કેન્દ્રીય સહાય રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) માંથી પૂરી પાડવામાં આવે છે, જે વર્ષની શરૂઆતમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માં ઉપલબ્ધ બેલેન્સના […]

મોદી સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં વર્ધા – ભુસાવલ – ત્રીજી અને ચોથી લાઇન – 314 કિમી (મહારાષ્ટ્ર), ગોંદિયા – ડોંગરગઢ – ચોથી લાઇન – 84 કિમી (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ), વડોદરા – રતલામ – […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code