Site icon Revoi.in

NIMCJ ના વિદ્યાર્થીઓને ભારતના અતુલ્ય વારસાથી વાકેફ થયા

Social Share

અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં ભારતીય સંસ્કૃતિ અને વિરાસત વિશેના સંશોધન માટે ‘ અતુલ્ય વારસો‘ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થાના સભ્યો કપિલભાઈ ઠાકર, રોનકભાઈ અને સૃષ્ટિબેન પંડયાએ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ની મુલાકાત લીધી હતી તથા તેમણે વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભારતના વિવિધ તહેવારો, ઐતિહાસિક સ્થળો તથા કલાઓ વિશે માહિતી પ્રદાન કરી હતી.

આ સત્ર દરમિયાન તેઓએ આપણી વિરાસતને જાળવી રાખવાથી થતાં મુખ્ય ત્રણ ફાયદાઓ જણાવ્યા હતા- શૈક્ષણિક મૂલ્યો, સાંસ્કૃતિક ઓળખ તથા સાતત્ય અને ત્રીજું આર્થિક લાભ. આ માહિતીપ્રદ સત્રમાં વિદ્યાર્થીઓએ પણ પોતાના શહેર કે ગામના ઐતિહાસિક સ્થળો વિશે ચર્ચાઓ કરી હતી. ‘અતુલ્ય વારસો‘ સંસ્થાએ કોલેજને તેમના સામયિકના વિશેષ અંકો ભેટ આપ્યાં હતાં ઉપરાંત સંસ્થા દ્વારા અલગ- અલગ સ્થળો પર થતી હેરિટેજ વોકમાં જોડાવા વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું. કૉલેજમાં યોજાયેલ આ સત્રમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્સ્ટિટયૂટના નિયામક ડો. શિરીષ કાશીકર, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા, ગરિમા ગુણાવત,વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.