Site icon Revoi.in

નવરાત્રીમાં આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ

Social Share

નવરાત્રી કે જે ગુજરાતીઓનો ખાસ કરીને હિંદુઓનો સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે.આ દિવસે મોટાભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે અને ભગવાન પૂજા આરાધના કરતા હોય છે, કેટલાક લોકો પોતાના ઘરે ઘરમાં માતાજીના માંડવાની સ્થાપના પણ કરતા હોય છે. તો આ દિવસોમાં લોકોઆ આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ.

જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ દિવસોમાં કોઈ વ્યક્તિએ હાથના નખ કે વાળ કપાવવાનું ટાળવું જોઈએ, આ ઉપરાંત દારુ કે કોઈ પણ પ્રકારનું સેવન કે જે શરીર માટે જોખમી હોય તેનાથી દુર રહેવું જોઈએ, શક્ય હોય તો ગુસ્સો કરવાનું પણ ટાળવું જોઈએ અને ઘરમાં બને એટલો સુમેળભર્યો માહોલ બની રહે તે માટે પ્રયાસ કરવો જોઈએ,

આ સિવાય જો વાત કરવામાં આવે તો જો તમને ગરબાનો શોખ હોય અને રાત્રીના સમયે ગરબા માટે ક્લબમાં કે ગ્રાઉન્ડમાં જઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે વધારે પ્રમાણમાં ખાવાનું પણ ખાવું જોઈએ નહીં. આ દિવસોમાં નોન-વેજ પણ ખાવું જોઈએ નહીં અને શક્ય હોય તો હંમેશા માટે આ વસ્તુ ન ખાવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ વખતે નવરાત્રી 26 તારીખથી શરૂ થઈ રહી છે 4 તારીખ સુધી ચાલશે. કોરોનાને કારણે નવરાત્રીમાં તકલીફ પડી હતી અને આ વખતે માહોલ અને વાતાવરણ પણ સારુ હોવાને કારણે લોકોમાં નવરાત્રીને લઈને વધારે ઉત્સાહ હશે. દરેક જગ્યાઓ પર મોટી સંખ્યામાં ભીડ પણ જોવા મળી શકે છે.