Site icon Revoi.in

શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ભારતની કેપ્ટનશીપ કરી શકે છે સૂર્યકુમાર યાદવ

Social Share

નવી દિલ્હીઃ આગામી શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને ભારતના નવા T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે. સૂર્યકુમાર ગયા મહિને કેરેબિયન ધરતી પર T20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સાથે T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્ત થયેલા રોહિત શર્માનું સ્થાન લેશે.

ફિટનેસની ચિંતા અને વર્કલોડ મેનેજમેન્ટ મુખ્ય કારણ

જોકે, T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમમાં વાઈસ-કેપ્ટન હર્દિક પંડ્યા હતા. IPL માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરવા ઉપરાંત હાર્દિક પંડ્યાએ ત્રણ ODI અને 16 T20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. તો હાર્દિક પંડ્યાને કેપ્ટન ન બનાવવા પાછળ ફિટનેસની ચિંતા અને વર્કલોડ મેનેજમેન્ટ મુખ્ય કારણ છે.

માત્ર T20 વર્લ્ડ કપમાં જ રાષ્ટ્રીય ટીમ માટે પરત ફર્યા હતા

હાર્દિક પંડ્યાને 50-ઓવરના વર્લ્ડ કપ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આઈપીએલ 2024 ની શરૂઆત સુધી તેઓ ટીઓમાંથી બહાર હતાં, ત્યારબાદ તેઓ મુંબઈની કેપ્ટનશીપમાં પાછા ફર્યા હતા. તે માત્ર T20 વર્લ્ડ કપમાં જ રાષ્ટ્રીય ટીમ માટે પરત ફર્યા હતા. જોકે હાર્દિક પંડ્યાએ 2022 ની શરૂઆતથી ભારત દ્વારા રમાયેલી 79 T20 મેચોમાંથી માત્ર 46 માં જ ભાગ લીધો છે.સૂર્યકુમાર અગાઉ સ્થાનિક સર્કિટમાં મુંબઈની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને 4-1 થી T20 શ્રેણી જીતાડી હતી, ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં 1-1 થી શ્રેણી ટાઈ થઈ હતી.

આગામી T20 વર્લ્ડ કપની તૈયારીઓ તરફનું પ્રથમ પગલું

આ ફોર્મેટમાં ભારતની પ્રથમ પસંદગીની અગિયારમાં પ્રથમ નામોમાં સૂર્યકુમાર પણ સામેલ છે. શ્રીલંકામાં T20 ઇન્ટરનેશનલ નવા કોચ ગૌતમ ગંભીર હેઠળ ભારતનો પ્રથમ પ્રવાસ હશે, જે T20 વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડનું સ્થાન લેશે. આને આગામી T20 વર્લ્ડ કપની તૈયારીઓ તરફનું પ્રથમ પગલું પણ માનવામાં આવી રહ્યું છે, જે ભારત 2026 માં સહ-યજમાન બનશે. આ સપ્તાહની શરૂઆતમાં ઝિમ્બાબ્વે સામે ભારતીય ક્રિકેટ ટીમ 4-1 થી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી જીત્યા બાદ શુભમન ગિલની આગેવાની હેઠળની યુવા ભારતીય ટીમ પરત ફરી છે. આ ટીમમાં વર્લ્ડ કપ વિજેતા ટીમના માત્ર ત્રણ ખેલાડીઓ સામેલ હતા.