ગાંધીનગરમાં 1275 ભયજનક મકાનો ખાલી કરવા માટે પાટનગર યોજના વિભાગે આપી ચેતવણી
ગાંધીનગરઃ શહેરમાં 15 સેક્ટરોમાં 1275 જેટલા મકાનો ભયજનક છે. ચોમાસુ નજીક છે. અને કોઈ દૂર્ઘટના ન બને તે માટે પાટનગર યોજના વિભાગે મકાનના તમામ કબજેદારોને તાત્કાલિક મકાનો ખાલી કરવાની ચેતવણી આપી છે. અગાઉ પણ ભયજનક મકાનોના કબજેદારોને નોટિસો ફટકારનામાં આવી હતી. પણ કબજેદારો સરકારી ક્વાર્ટર્સ ખાલી કરતા નથી, હવે ત્વરિત ક્વાટર્સ ખાલી કરવામાં નહીં આવે […]